લોકોમાં રાહતની લાગણી: આજથી અમલવારી: પેટ્રોલના રુા.૯૪.૩૮ અને ડીઝલના રુા.૯૦.૦૫
દેશભરમાં ગઇકાલે સાંજે ઇંધણના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં રુા.૨નો ઘટાડો થયો છે જે આજથી અમલમાં આવશે.
લોકસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થશે, તે સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પેટ્રોલમાં ૯૪.૩૮ જયારે ડીઝલમાં ૯૦.૦૫નો ભાવ આજથી અમલમાં આવશે, પેટ્રોલ તથા ડીઝલના બંનેના ભાવમાં રુા.૨નો ઘટાડો થતાં લોકોમાં રાહતની લાગણી થવા પામી છે.
સરકારી માલિકીની ઓઇલ કંપનીઓએ બે વર્ષ બાદ ઇંધણના ભાવમાં ફેરફાર કર્યો છે, આ નવા ભાવ આજે એટલે કે શુક્રવારથી લાગુ થયા છે, લોકસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના કલાકો પહેલા ઇંધણના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, કેન્દ્રીય ઓઇલ મંત્રાલયે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના નવા ભાવ શુક્રવારે સવારે ૬ વાગ્યાથી લાગુ થશે. જામનગરમાં આજથી પેટ્રોલ રુા.૯૪.૩૮ અને ડીઝલ રુા.૯૦.૦૫, ગઇકાલે પેટ્રોલના રુા.૯૬.૩૮ હતાં અને ડીઝલના રુા.૯૨.૦૫ હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech