રાજકોટ સજડ બધં રહ્યાની કેબિનેટ બેઠકમાં ભારે ચર્ચા: સરકાર દબાણમા

  • June 26, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજય મંત્રીમંડળની બેઠકમાં ગઈકાલે રાજકોટ અિકાંડ ના ઘેરા પ્રત્યાઘાતો કર્યા હતા સુભાષ ત્રિવેદીની સીટના અહેવાલની કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત રાજકોટ શહેરની જનતાએ સ્વયંભૂ સડ બધં પાળીને સરકારી તત્રં સામે જબરજસ્ત નારાજગી વ્યકત કરતો જવાબ આપ્યો છે. આ મામલે ગુજરાત રાયના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે સ્વીકાયુ હતું કે અમલદારો અને પદાધિકારીઓને છોડવામાં નહીં આવે અિ કાંડના જવાબદારો સામે કડક પગલાં લેવાશે. આ ઉપરાંત રાજકોટમાં અિકાંડને એક મહિના પૂરો થતા કોંગ્રેસ અને આપ દ્રારા આપવામાં આવેલા બંધના એલાનની સફળતાના ઘેરા પ્રત્યાઘાતો કેબિનેટમાં પડા હતા.
રાય મંત્રીમંડળની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં સીટના અહેવાલની ચર્ચા થઈ હોવાનું પ્રવકતા મંત્રીએ સ્વીકાયુ હતું. પરંતુ, રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થયા બાદ પગલાં લેવામાં આવશે એવો સંકેત પણ તેમણે આપ્યો હતો. પરિણામે પગલામાં સમય લાગે તેવી શકયતા છે.

જેનો ઉલ્લ ેખ હશે તેની સામે પગલાં લેવામાં આવશે, પગલાં લેવાનું સરકારે નક્કી કયું છે, સીટમાં જે ભલામણો હશે, સાબિતી મળશે તેના પર સરકાર પગલાં લેશે. એવું રટણ પ્રવકતા મંત્રીએ કેબિનેટની બેઠક બાદ વારંવાર કયુ હતું.રાજય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું ગુજરાત હાઈકોર્ટમાં આ દર્દનાક ઘટના અંગે સુઓમોટો પિટિશનની સુનાવણી ચાલી રહી છે. એટલે સરકાર આપમેળે કોઈ પગલાં લેવાના બદલે હાઇકોર્ટની સૂચના, આદેશ કે નિર્દેશ અનુસાર જ આગળની કાર્યવાહી કરે એવી શકયતા છે. બીજું, સુભાષ ત્રિવેદીની સીટ (જે હજુ તપાસ આગળ ધપાવશે) ઉપરાંત રાજકોટ પોલીસ અને હાઈકોર્ટના આદેશ અનુસારની ફેકટ ફાઇન્ડિંગ કમિટી પણ રચવામા આવી છે.
રાજકોટના ટીઆરપી ગેમઝોનની ભયાનક આગમાં ૨૭ નિર્દેાષ લોકોનો ભોગ લેનારી દુર્ઘટનાને એક મહિનો થવા આવ્યો છે ત્યારે રાય સરકારે મોટી માછલીઓ સામે પગલાં લેવાનો ગર્ભિત સંકેત આપી દીધો છે. કેબિનેટમાં ચર્ચાયેલી બાબતો અંગે સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપતાં કહ્યું હતું કે સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી પાંચ સભ્યોની સીટની તપાસમાં જે કોઇ જવાબદાર નિકળશે તેમની સામે આકરા પગલાં લેવાશે. રાય સરકાર હાલ આ રિપોર્ટનો અભ્યાસ કરી રહી છે. આગામી ૪ જુલાઇએ આ રિપોર્ટને હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સીટની તપાસમા કેટલાક આઇએએસ, આઇપીએસ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના જવાબદાર પદાધિકારીઓનો ઉલ્લેખ છે કે તેમ તેવા સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે સીટના દાયરામાં ઘણી બાબતોનો સમાવેશ છે. જવાબદાર હશે તો તેમની સામે પગલાં લેવાનું સરકારે નક્કી કયુ છે. કે પ્રવકતા મંત્રીએ કહ્યું હતું કે આ દુર્ઘટનાને આજે એક મહિનો પૂરો થયો છે. આ કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, સીટ અને ફેકટ ફાઇન્ડીંગ કમિટી એમ ત્રણ પક્ષે તપાસ થઇ રહી છે. મેટર સબયુડીસ હોવાથી સીટનો રિપોર્ટ સરકાર હાઇકોર્ટમાં રજૂ કરાશે.
સીટ તરફથી જે તપાસ થઇ છે તેમાં ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓનો ઉલ્લ ેખ છે તો સરકાર તેમની સામે કયારે પગલાં લેશે તેવા સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સીટમાં જે ભલામણો કરવામાં આવી હશે અને સાબિતી મળશે તેના પર સરકાર પગલાં લેશે.સીટના રિપોર્ટ પહેલાં અમે તો રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને રિમૂવ કરી દીધા છે. હજી કેટલાક મુદ્દા તપાસવાનાં બાકી છે. અદાલતમાં રજૂ થયા પછી જે તારણ આવશે તેમાં પગલાં લેવાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application