સરકારની નિષ્ફળતા સામે સોશિયલ મીડિયામાં પડી રહી છે ભારે પસ્તાળ

  • May 28, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના મુખ્યપ્રધાન કે મંત્રીઓ કે ભાજપના મોવડીઓ સનિક વહીવટીતંત્ર અને રાજકીય સાંઠગાંઠના પરિણામે રાજયના સમગ્ર વહીવટી તંત્રની પક્કડ ઢીલી પડી રહી હોવાની છાપ છેલ્લા થોડા દિવસી ઉભી ઈ છે જે રીતે લોકો સોશિયલ મીડિયા ઉપર આક્રોશ ઠાલવી રહ્યા છે.ઈન્સ્ટાગ્રામ, ફેસબુક,જેવા પ્લેટફોર્મ પર ટ્રોલ ઈ રહયુ છે.

વર્તમાન સરકારમાં મોરબી ઝુલતા પુલ, વડોદરા હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનાઓ બની છે તેના કારણે સમગ્ર તંત્રની છબી ખરડાઈ છે. સરકારમાં બેઠેલા મંત્રીઓ કે અધિકારીઓમાં કામ કરવાની સમજણ, ક્ષમતા અને કૌશલ્ય ઉપર પણ સવાલ ઊભા કર્યા છછેસરકાર અને તંત્રની સાઠગાંઠના પરિણામે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ બેફામ બની છે.

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ માં મુખ્યત્વે કોઈપણ પ્રકારની મંજૂરી વિના વર્ષોી ધમધમી રહેલા આ ગેમ ઝોન ગેરકાયદેસર પ્રવૃત્તિ સમાન છે સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ બેફામ બની છે સપિતોની મજબૂત સાંઠગાંઠ હોવાનો ઉભરો લોકો સોશિયલ મીડિયામાં ઠાલવી રહ્યા છે.

દારૂના વેપારના કારણે લઠ્ઠા કાંડ ફેક્ટરીઓમાં બ્લાસ્ટ ગેરકાયદેસર દબાણના કારણે અકસ્માત સરકારી જમીન પર કબજા સહિતની પ્રવૃત્તિ નિયમ કરતા તત્વોને સરકારી તંત્ર કે પોલીસની કોઈપણ બીક ની તેવું સ્પષ્ટ ઈ રહ્યું છે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ પણ લોકોને સરકાર પર ભરોસો રહ્યો ની સરકાર માટે શરમજનક કહી શકાય તેવી સ્થિતિ  તંત્ર ચાલી રહ્યું છે તેનો આ પુરાવો છે.

ભૂતકાળમાં આવું જ વલણ હાઇકોર્ટે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અને વડોદરા બોટકાંડમાં સરકાર માટે અપનાવ્યું છે.રાજકોટમાં અગ્નિકાંડના કારણે કોઇપણ પ્રકારની મંજૂરી વિના વર્ષોી ગેરકાયદે રીતે ચાલી રહેલા ગેમ ઝોનની વિગતો બહાર આવી છે તે ફક્ત હિમશિલાની ટોચ સમાન છે. સમગ્ર રાજ્યમાં ગેરકાયદે પ્રવૃતિઓ ફૂલીફાલી રહી હોવાનું અને અધિકારીઓ કે પોલીસ સો સપિત હિતોની મજબૂત સાંઠગાંઠ હોવાનો ઉભરો લોકો સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે.

પ્રજાને સુરક્ષાનો અહેસાસ અપાવવામાં તંત્ર ઉણુ ઉતર્યું હોવાનો ઉભરો નાગરિકો ઠાલવી રહ્યા છે. સરકારમાં અવારનવાર ચિંતન શિબિરો તી રહે છે, પરંતુ સચિવાલયના વિવિધ વિભાગોના સચિવો સનિક સ્તર સુધી તેમના વિભાગોના નિયમોનું પાલન છે કે નહીં તે માટે જવાબદાર ન હોય સ્થિતિ  છે. મહિને બે મહિને એકાદ વખત ક્લેક્ટર કોન્ફરન્સ ાય અને સૂચનો આપવામાં આવે તે પછી વાસ્તવિક અમલ કેટલો થાય છે તેનું કોઇ તંત્ર ગોઠવાયેલું હોવાના કારણે દિન-પ્રતિદિન સ્થિતિ  વધુ વકરી રહી હોવાની સાબિતિ સમાન છે છતાં સમયાંતરે તી આવી ઘટનાઓને કારણે મંત્રીઓ-અધિકારીઓની નબળાઈ જવાબદારીઓનો અહેસાસ નહીં હોવાનું સ્પષ્ટ કર્યું છે. જે સચિવાલયમાં બેઠેલા અધિકારીઓ કે મંત્રીઓ પ્રામિક વહીવટી જવાબદારી સંભાળવામાં નિષ્ફળ રહયાનો સીધો સંકેત છે. નાગરિકો સોશિયલ મીડિયા ઉપર રોષ ઠાલવી રહયા છે.બીજી બાજુ રાજકોટના ધારાસભ્ય ના વર્તન ને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તા વિશ્વભરના ગુજરાતીઓએ ફટકાર વરસાવી છે આવા ધારાસભ્યનું રાજીનામું લખાવી લે તેવી ક્રિયા પણ વ્યક્ત કરી છે.આમ રાજકોટના અગ્નિકાંડ એ સોશિયલ મીડિયા પર પસતાળ પાડી છે અને સરકાર પર ફટકાર વરસાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application