પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેના પ્રાથમિક અહેવાલમાં હૃદય રોગનો હુમલો આવી ગયાનું તારણ
જામનગરના વાઘેર વાડા વિસ્તાર રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા જયેશ નરશીભાઈ રાઠોડ નામના ૪૨ વર્ષીય ભરવાડ યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ભારે ચકચાર જાગી છે, અને પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે તેનું હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ હોવાનું તારણ નીકળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશ નરસીભાઇ રાઠોડ નામના ૪૨ વર્ષના ભરવાડ યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની પોલીસને જાણકારી મળતાં સિટી એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેના પ્રાથમિક રિપોર્ટમાં મૃતકને હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું જાહેર કરાયું છે. જેની પ્રથમ પત્ની હયાત છે, પરંતુ તેણે વાઘેરવાડા વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ યુવતી સાથે પણ મૈત્રી કરાર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે, તે યુવતી હાલ બહારગામ હતી, અને દરમિયાન આજે સાંજે ભરવાડ યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં તેની પ્રથમ પત્ની પણ આવી ગઈ હતી, અને મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી. આ સમગ્ર મામલે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech