કાઠી સમાજમાં પડા બે ફાંટા: એક રૂપાલાના ટેકામાં, બીજો વિરોધમાં

  • April 13, 2024 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ક્ષત્રિય સમાજના આંદોલનને અત્યાર સુધી સમર્થન આપી રહેલા કાઠી સમાજમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે. ગઈકાલે કાઠી સમાજના આગેવાનોએ ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ બોલાવીને કાઠી સમાજનું પાલા ને અને ભાજપને સમર્થન હોવાની જાહેરાત કરી હતી.

કાઠી સમાજના આગેવાનો મુન્નાભાઈ વિંછીયા સુખાભાઈ વાળા રામકુભાઇ ખાચર સહિતના આગેવાનોએ ગઈકાલે સાંજે ભાજપ કાર્યાલય ખાતે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માગીએ છીએ અને તે માટે લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુષોત્તમ પાલા અને ભાજપને સમર્થન આપીએ છીએ.કાઠી સમાજના આગેવાનો દ્રારા પાલાને અને ભાજપને સમર્થન આપવાની પત્રકાર પરિષદમાં જાહેરાત કરાયાની ગણતરીની કલાકોમાં જ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો નાના મોવા ચોક ખાતે એકત્ર થયા હતા અને આ પ્રકારનું સમાધાન ફગાવી દીધું હતું. સમાજના આગેવાનો ભરતભાઈ વાળા સહિતનાઓ એ જણાવ્યું હતું કે આ કાઠી સમાજના સંગઠનનો નિર્ણય નથી. અમુક આગેવાનોનો વ્યકિતગત નિર્ણય છે. આવતીકાલે રતનપર ખાતે યોજાનારા ક્ષત્રિય સમાજના સંમેલનમાં અમે જવાના છીએ અને ભાજપ કાર્યાલયે પત્રકાર પરિષદમાં સમર્થનની જે જાહેરાત કરવામાં આવી છે તે અમને માન્ય નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application