મોબાઈલ લઈ આપવાની પિતાએ ના કહેતા ભાણવડની તરુણીએ જિંદગી ટૂંકાવી

  • June 24, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના મોખાણા ગામની સીમમાં રહેતી વનિતા સુભાષભાઈ પરમાર નામની ૧૫ વર્ષની તરુણીએ ગઈકાલે શુક્રવારે પોતાના હાથે સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતક વનિતાબેન કે જે ૧૧ મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તેણે મોબાઈલ ફોન લેવા માટે પોતાના પિતાને વાત કરી હતી. જેથી પિતાએ મોબાઈલ ફોન અપાવવાની ના કહેતા આ બાબતે તેણીને મનમાં લાગી આવવાના કારણે લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગેની નોંધ મૃતકના પિતા સુભાષભાઈ વલ્લભભાઈ પરમાર (ઉ.વ. ૪૫, રહે. મોખાણા સીમ) એ ભાણવડ પોલીસ મથકમાં કરાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application