ખારાબેરાજા ખાતે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું : રહસ્યમય બનાવમાં પોલીસની તપાસ
જામનગરની ક્ષારઅંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારએ ખારા બેરાજા બંધારા ડેમ પાસે ઝાડમાં ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લેતા અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ છે, કયા કારણસર પગલું ભર્યુ એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.
જામનગરના પ્રગતીપાર્ક-૨, પેલેસ એપાર્ટમેન્ટમાં ૧૦૩ નંબરના ફલેટ ખાતે રહેતા અને અહીંની ક્ષારઅંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા જયસુખભાઇ વેલજીભાઇ કાનાણી (ઉ.વ.૫૪) નામના કર્મચારીએ ગઇકાલે ખારા બેરાજા ગામના બંધારો ડેમ પાસે આવેલ ઝાડની ડાળીમાં શર્ટ વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે હિંમતનગર શેરી નં. ૪માં રહેતા તેમના મોટાભાઇ અમૃતલાલ વેલજીભાઇ કાનાણીએ બેડી મરીન પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે બનાવ પાછળનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ કર્મચારી ભેદી રીતે લાપતા બનતા પરિવારજનો દ્વારા શોધખોળ આદરી હતી અને પોલીસને જાણ કરી હતી, જેના આધારે ગુમથનારની શોધખોળ આદરી હતી, દરમ્યાન ગઇકાલે તેમનું બાઇક નિર્જન સ્થળેથી મળી આવ્યુ હતું અને આ વિસ્તારમાં તપાસ કરાવતા મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, કયા સંજોગોમાં પગલુ ભર્યુ એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
**
પત્ની, સંતાનોના વિરહમાં વ્યથિત સુરજકરાડીના યુવાને જિંદગી ટૂંકાવી
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા કપિલભાઈ ભીખુભાઈ ઢચાણી નામના ૩૪ વર્ષના ખારવા યુવાને મંગળવારે સાંજે પોતાના ઘરે પોતાના હાથે પંખામાં શર્ટ તથા દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે મૃતકના મોટાભાઈ રમેશભાઈ ભીખુભાઈ ખારવા (ઉ.વ. ૪૫) દ્વારા મીઠાપુર પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મૃતક કપિલના પત્ની તથા બાળકો તેમનાથી અલગ જામનગર ખાતે રહેતા હોય, અને એકલવાયું જીવન જીવતા કપિલભાઈને આ બાબત મનમાં લાગી આવતા તેમણે આ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech