તળાજાના યુવાનનું હદય અટકી ગયુ

  • February 09, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજા શહેરમાં રહેતા યુવાનને આજે વ્હેલી સવારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરતા તેના પરિવારમાં શોક છવાયો હતો.


ભાવનગર જિલ્લામાં નાની વયે હદયરોગના હુમલાથી મૃત્યુ થવાની ઘટના બની રહી છે. ત્યારે આજે તેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે.

ઉપલબ્ધ પ્રથમિક વિગતો મુજબ તળાજા શહેરના દિનદયાળનગરમાં રહેતા ગોવિંદભાઇ આતુભાઇ રાઠોડ (ઉ. વ.૪૧)એ આજે વ્હેલી સવારે અચાનક છાતીમાં દુઃખાવો થયાની ફરિયાદ કરતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક ૧૦૮મારફત સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં ફરજપરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરતા ગોવિંદભાઇના પરિવારમાં શોક છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application