જૂનાગઢના ઉપરકોટ કિલ્લ ામાં પ્રવેશતા જ પ્રવેશ દ્વાર પાસે સૌ પ્રથમ ગણપતિદાદા અને હનુમાનજીના પ્રાચીન મંદિર આવેલા છે.નવીનીકરણ બાદ એજન્સી દ્વારા ઉપરકોટ નું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને મુલાકાત માટે ટિકિટ રાખવામાં આવી છે.પરંતુ માત્ર મંદિરે જવા માગતા દર્શનાર્થીઓ પાસેથી પણ ટિકિટ લેવાતા નારાજગી છવાઈ છે.જેથી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા યોગ્ય કરવાની માંગ સાથે પ્રવાસન વિભાગને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
જૂનાગઢમાં ઐતિહાસિક ઉપરકોટ કિલ્લ ાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેનુ સંચાલન ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવે છે. કિલ્લ ાની મુલાકાત માટે સ્થાનિકો પાસેથી રૂ.50 અને બહારના પ્રવાસીઓ પાસેથી રૂ.100 ટિકિટ ફી લેવામાં આવે છે.કિલ્લ ામાં અંદાજિત 3 હજાર વર્ષ પુરાણુ હનુમાનજી અને ગણપતિ દાદાનું મંદિર આવેલું છે.જેમાં બંને મૂર્તિ એક જ પથ્થરમાંથી તૈયાર થયેલી છે.12 ફૂટ ઊંચી બંને મૂર્તિ ભાવિકોમાં અનેરી આસ્થા ધરાવે છે. ઉપરકોટની મુલાકાત માટે આવતા પ્રવાસીઓને ટિકિટ વગર પ્રવેશવા દેવામાં આવતા નથી.ગેટ પાસે જ ચેકપોસ્ટ રાખવામાં આવી છે અને ટિકિટ મેળવેલ હોય તે લોકોને પ્રવેશ આપવામાં આવે છે.
પ્રવેશદ્વાર પાસે ગણપતિ દાદા અને હનુમાનજીના મંદિરે વર્ષોથી ભાવિકો દર્શને આવે છે.ત્રણ પેઢીઓ એકી સાથે મંદિરે પૂજન કરવા આવે છે.માત્ર મંદિરે પૂજન કરવા આવતા લોકોને ટીકીટ લીધા વગર પ્રવેશ આપવામાં આવતો નથી.પ્રાચીન મંદિરમાં માત્ર દર્શન કરવા જતા ભાવિકો પાસેથી કર વસૂલવાના નિર્ણયથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે.જેથી શહેરની સામાજિક સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા દ્વારા મંદિરે જવા ટિકિટ ખરીદવાના નિયમને વખોડી પ્રવાસન વિભાગને બંને મંદિરોએ જવા નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત સાથેનો પત્ર પાઠવી માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુયોર્ક ટાઈમ્સ બાદ વોશિંગ્ટન પોસ્ટે પણ માની પાકિસ્તાન સામે ભારતની જીત
May 15, 2025 03:07 PMપોરબંદરમાં પોલીસે ઔદ્યોગિક એકમોના સંચાલકો સાથે યોજી બેઠક
May 15, 2025 02:54 PM૧.૦૮ કરોડના ગેરકાયદે બાયોડીઝલ મામલે ભરત રામાણીના આગોતરા જામીન રદ કરવાની અરજી ફગાવી દેવાઈ
May 15, 2025 02:52 PMબોખીરા-કુછડી રોડ પર કેનાલમાં માછલાના નિપજ્યા શંકાસ્પદ મોત
May 15, 2025 02:52 PMહેર ટ્રાન્સપ્લાન્ટ પહેલા જાણી લો 5 મહત્વપૂર્ણ બાબતો, ઉતાવળમાં ને ઉતાવળમાં ન કરતા આ ભૂલ
May 15, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech