દેશમાં બેરોજગારી દર ઘટ્યો: ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સુધારો

  • October 03, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતનો બેરોજગારી દર સપ્ટેમ્બરમાં એક વર્ષની નીચી સપાટીએ આવી ગયો હતો નબળા ચોમાસાના વરસાદ છતાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી ઘટી હતી. પ્રાઈવેટ રિસર્ચ ફર્મ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર મહિનામાં એકંદરે બેરોજગારીનો દર ઘટીને ૭.૦૯% થયો હતો, જે ઓગસ્ટમાં ૮.૧૦% હતો. ગયા વર્ષના સપ્ટેમ્બર પછી આ સૌથી નાનો આંકડો છે. ગ્રામીણ બેરોજગારી ઓગસ્ટમાં ૭.૧૧% થી ઘટીને ૬.૨૦% થઈ, યારે શહેરી બેરોજગારીનો દર સમાન સમયગાળામાં ૧૦.૦૯% થી ઘટીને ૮.૯૪% થયો.ભારતમાં પાંચ વર્ષમાં સૌથી નબળો ચોમાસું વરસાદ નોંધાયો છે, જેમાં જૂન–સપ્ટેમ્બરનો વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતાં લગભગ ૬% ઓછો છે. તેમ છતાં, દેશમાં કૃષિ પ્રવૃત્તિઓ પર તેની કોઈ ખાસ અસર થઈ નથી.


ભારતમાં તહેવારોની મોસમ પહેલા શહેરી બેરોજગારીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીઓ સામાન્ય રીતે નવેમ્બરમાં દિવાળી પહેલા – ખાસ કરીને ગીગ અને કોન્ટ્રાકટ એમ્પ્લોયમેન્ટ સેગમેન્ટમાં – ભરતી કરવા માટે તૈયાર હોય છે. ભારતના ૧.૪ અબજ લોકો માટે પૂરતી નોકરીઓનું સર્જન એ આગામી ઉનાળામાં રાષ્ટ્ર્રીય ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર માટે ટોચની પ્રાથમિકતા છે. ગયા મહિને, તેમણે વધતી બેરોજગારી અંગે અસંતોષ વ્યકત કરતા લોકો વચ્ચે એક વિશેષ રોજગાર પહેલ હેઠળ નવી ભરતી કરનારાઓને ૫૧,૦૦૦ નિમણૂક પત્રોનું વિતરણ કયુ હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application