45 દિવસની અંદર ખજખઊને ચૂકવણી કરવાના મુદ્દે વેપારીઓ નાણામંત્રીને રૂબરૂ મળ્યા

  • February 15, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશનું વેપારી મંડળ નાણા મંત્રી નિર્મલા સીતારામ અને મળ્યું હતું અને ઇન્કમટેક્સની 45 દિવસની જોગવાઈ ને રદ કરવા માટે પ્રબળ માંગણી ઉઠાવી છે ખંડેલવાલે આ વિષય પર એક મેમોરેન્ડમ આપતા જણાવ્યું હતું કે, દેશનો વેપારી વર્ગ સરકારના આ પગલાને આવકારે છે, તે વેપારીઓના બહોળા હિતમાં છે, પરંતુ માહિતીના અભાવે દેશભરના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કાયદાને ધ્યાનમાં રાખીને, તેમણે વિનંતી કરી કે આ કાયદો એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવે.
આ મુદ્દા પર વેપારીઓની ચિંતાઓને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળતી વખતે, સીતારમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને આ બાબતે સંપૂર્ણ વિચારણા કરવામાં આવશે.

 એ તેના મેમોરેન્ડમમાં કહ્યું છે કે, સરકારનો આ નિર્ણય આવકારદાયક છે કારણ કે આવકવેરા કાયદામાં આ કલમ ઉમેરવાથી હવે  સેક્ટરને તેમના દ્વારા પૂરા પાડવામાં આવતા માલનું પેમેન્ટ વધુમાં વધુ 45 દિવસમાં મળી જશે. જેના કારણે વેપારીઓનો મૂડીપ્રવાહ અટકશે નહીં.પરંતુ આ કાયદો વેપારીઓને લાગુ પડશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, જ્યારે આ કાયદાને લગતા અન્ય ઘણા મુદ્દાઓ છે, જેની સ્પષ્ટતાની જરૂર છે, જેથી કાયદાનું પાલન થઈ શકે.
કેટના ગુજરાતના ચેરમેન પ્રમોદ ભગત અને ગારમેન્ટ કમિટીના રાષ્ટ્રીય ચેરમેન ચંપાલાલ બોથરા એ વિનંતી કરી છે કે જ્યાં સુધી આ કાયદાને લગતા મુદ્દાઓ પર સ્પષ્ટતા ન થાય અને જ્યાં સુધી દેશભરના વેપારીઓને આ કાયદા વિશે પૂરતી માહિતી ન મળે ત્યાં સુધી આ કાયદો સ્થગિત રાખવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application