દેશનું વેપારી મંડળ નાણા મંત્રી નિર્મલા સીતારામ અને મળ્યું હતું અને ઇન્કમટેક્સની 45 દિવસની જોગવાઈ ને રદ કરવા માટે પ્રબળ માંગણી ઉઠાવી છે ખંડેલવાલે આ વિષય પર એક મેમોરેન્ડમ આપતા જણાવ્યું હતું કે, દેશનો વેપારી વર્ગ સરકારના આ પગલાને આવકારે છે, તે વેપારીઓના બહોળા હિતમાં છે, પરંતુ માહિતીના અભાવે દેશભરના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કાયદાને ધ્યાનમાં રાખીને, તેમણે વિનંતી કરી કે આ કાયદો એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવે.
આ મુદ્દા પર વેપારીઓની ચિંતાઓને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળતી વખતે, સીતારમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને આ બાબતે સંપૂર્ણ વિચારણા કરવામાં આવશે.
એ તેના મેમોરેન્ડમમાં કહ્યું છે કે, સરકારનો આ નિર્ણય આવકારદાયક છે કારણ કે આવકવેરા કાયદામાં આ કલમ ઉમેરવાથી હવે સેક્ટરને તેમના દ્વારા પૂરા પાડવામાં આવતા માલનું પેમેન્ટ વધુમાં વધુ 45 દિવસમાં મળી જશે. જેના કારણે વેપારીઓનો મૂડીપ્રવાહ અટકશે નહીં.પરંતુ આ કાયદો વેપારીઓને લાગુ પડશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, જ્યારે આ કાયદાને લગતા અન્ય ઘણા મુદ્દાઓ છે, જેની સ્પષ્ટતાની જરૂર છે, જેથી કાયદાનું પાલન થઈ શકે.
કેટના ગુજરાતના ચેરમેન પ્રમોદ ભગત અને ગારમેન્ટ કમિટીના રાષ્ટ્રીય ચેરમેન ચંપાલાલ બોથરા એ વિનંતી કરી છે કે જ્યાં સુધી આ કાયદાને લગતા મુદ્દાઓ પર સ્પષ્ટતા ન થાય અને જ્યાં સુધી દેશભરના વેપારીઓને આ કાયદા વિશે પૂરતી માહિતી ન મળે ત્યાં સુધી આ કાયદો સ્થગિત રાખવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમીઠાપુરમાં અપહરણ તથા લૂંટના ગુનામાં બે આરોપીઓના આગોતરા જામીન મંજૂર
October 05, 2024 11:33 AMખંભાળિયાના કેશોદ ગામે જાતરના પરંપરાગત મેળામાં અશ્વ રેસ
October 05, 2024 11:32 AMકલ્યાણપુરના ગાગા મુકામે સિંધવી માતાજીના સાનિધ્યમાં ધર્મોત્સવ
October 05, 2024 11:27 AMરાજ્ય મંત્રીમંડળમાં ફેરફાર, વિસ્તરણ કે બીજું કાંઈ?
October 05, 2024 11:27 AMપ્રથમ વખત ભારતનું વિદેશી ભંડોળ 700 બિલિયન ડોલરને પાર પહોંચ્યુ
October 05, 2024 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech