ભાવનગર શહેરના સરિતા સોસાયટી કુમુદવાડી ખાતે ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો હતો. સરિતા સોસાયટી કુમુદવાડી ખાતે રહેતા અને પાનમાવાની દુકાન ધરાવતા દંપત્તિના ત્રણ શખ્સો દ્વારા ગાળો આપી અને નુકશાન પહોંચાડ્યું હતું. રોડ વચ્ચે ઉભા રહીને ગાળો બોલી વિસ્તારમાં ભય ભર્યું વાતાવરણ ઉભું કર્યું હતું. જોકે આ મામલે બોરતળાવ પોલીસને જાણ થતા પોલોસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના સરિતા સોસાયટી, કુમુદવાડી ખાતે ત્રણ શખ્સો એક્સેસ સ્કૂટર લઇને નીકળ્યા હતા. અને ત્યાં દુકાન ધરાવતા દંપત્તિને ગાળો આપી આતંક મચાવ્યો હતો. શહેરના ચિત્રા વિસ્તારમાં સરીતા સોસાયટીમાં પાનની દુકાને બેસતા પૂજાબેન મકવાણા અને તેના પતિ પરેશભાઈ પોપટભાઈ બંને બેઠા હતા, એ સમયે રવિ ઉર્ફે ભુરો મથુરભાઈ મકવાણા, અજય ઉર્ફે મડો ભરતભાઈ બાંભણિયા અને ચિન્ટુભા ઉર્ફે અક્ષયસિંહ હેલીકોપ્ટર દિલીપસિંહ સરવૈયા ત્રણેય આવીને ગાળાગાળી કરી હતી, અને દેકારો કરી મુક્યો હતો. જેને પગલે આસપાસમાં લોકો એકઠા થઈ ગયા હતા. અને આ ત્રણેય યુવાનોએ ધમકી આપી હતી કે, અમે દુકાને આવીએ ત્યારે પાનમાવો આપી દેવાનો નહીં તો જીવતી નહિ રહેવા દઈએ, જે અંગે પૂજાબેનએ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ત્રણેયની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. અને ગણતરીની કલાકોમાં ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. અને બોરતળાવ પોલીસ મથકની ટીમે ત્રણેયને કાયદાનો પાઠ ભણાવી લોકઅપ હવાલે કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech