જામનગર નાં બારેક વર્ષ પહેલા ના લાંચ કેસ માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ ને અદાલતે ચાર વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે.
પોલીસ બેડા માં ચકચાર જગાવનાર આ કેસ ની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ માં રહેતા રાજેન્દ્રસીંહ રણજીતસિંહ જાડેજા વિરુદ્ધ જામનગર ના પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન માં દારૂબંધી ભંગ ના ગુના બદલ કેસ નોંધાયો હતો.જે કેસ મા જામીન ઉપર છૂટવા માટે રૂ.૧૫ હજાર ની લાંચ ની માંગણી તત્કાલીન પોલીસ સબ ઈન્સ. દશરથસિંહ ભગુભા ઝાલા એ કરી હતી. અને પીએસઆઇ ના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ વાઢેરે રૂપિયા ૫૦૦૦ ની લાંચ ની રકમ સ્વીકારી હતી, તથા બાકીની રૂ।. ૧૦ ,૦૦૦ ની રકમ માટે નો વાયદો કર્યો હતો તથા રાજેન્દ્રસિંહનાં મિત્ર જુવાનસીંહ તેજુભા રાઠોડનું નામ સહ આરપી તરોકે નહી ખોલવા અને તેનું સ્કૂટર કબ્જે નહી કરવા માટે રૂ.૩૦ હજાર ની વધુ લાંચ ની માંગણી કરવામાં આવી હતી.
આ અંગે તા. ૩૧-૧૦-૨૦૧૨ ના રોજ લાંચ રૂશ્વત વિરોધી શાખા - રાજકોટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી . જેથી લાંચ રૂશ્વત વિરોધી શાખાના સ્ટાફે દરોડો પાડીને પોલીસ કર્મચારીને લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. અને આરોપીઓની ધરપકડ કરીને અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યો હતું. આ અંગે નો કેસ જામનગર ની સ્પેશિયલ અદાલત ના ન્યાયમૂર્તિ વી પી અગ્રવાલ સમક્ષ ચાલી જતાં બંને આરોપી ને ચાર વર્ષ ની જેલ ની સજા અને દંડનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સ્પે. એ પી પી હેમેન્દ્ર ડી. મહેતા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech