જામનગરનાં તત્કાલીન નાયબ મામલતદારને લાંચ કેસમાં એક વર્ષની સજા

  • September 13, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા પરવાનેદાર પાસેથી રૂ. ૩૦૦૦ ની લાંચ લેવાનાં ગુનામા ઝડપાયેલા નાયબ મામલતારને ૧ વર્ષની સજાનો અદાલતે હુકમ કર્યો છે.


જામનગર નાં સસ્તા અનાજ ની દુકાનદાર પાસે થી રૂ. ૩૦૦૦ ની લાંચ સ્વીકારી ઝોનલ ઓફિસ નાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય ને તાં. ૨૫/૯/૨૦૧૨ નાં દિવસે છટકુ ગોઠવી ને લાંચ રૂશ્વત વિરોધી શાખા એ ઝડપી લિધા હતા. દુકાનદાર નાં જણાવ્યા મુજબ તેમને હેરાનગતિ ન કરવા માટે જે તે વખતના પુરવઠા ઝોનલ અધિકારી ચેતન ઉપાધ્યાય દ્વારા લાંચ માંગવામાં આવી હતી. તે ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકા પછી એસીબીએ ગુન્હો નોંધ્યો હતો.


ઉપરોક્ત કેસ ચાલી જતાં એ સી બી નાં સ્પે.જજ એન આર જોષી એ  ઝોનલ અધિકારી ચેતન ઉપાધ્યાય ને ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ હેઠળ તક્સીરવાન ઠરાવી એક વર્ષ ની સજા અને રૂ.૨૦ હજાર નો દંડ નો આદેશ કર્યો છે. આ કેસમા સરકાર પક્ષે એ પી.પી. હેમેન્દ્ર મહેતા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application