આજીવિકા માટે સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીનો માંગણી સામે તંત્રના આંખ આડા કાન

  • July 30, 2023 02:43 PM 

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે હાલ પવિત્ર શ્રાવણ માસના ના લીધે શ્રદ્ધાળુઓ ની ભીડ  છે. છતાં પણ સોમનાથ શોપિંગ સેન્ટર ના વેપારીઓ સંતુસ્ટ નથી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક રહેવાસીઓ ને રોજગારી તેમજ યાત્રિકો ની સુવિધા ના હેતું થી સોમનાથ શોપિંગ બનાવેલ છે. 


જેમાં નજીવા ડિપોઝિટ પર ભાડા પેટે સ્થાનિકો ના પરિવાર નું ભરણ પોષણ થઈ શકે તે માટે દુકાનો આપેલ છે પણ આતંકી હુમલા ની ધમકી ને પગલે હાલ સોમનાથ મંદિર ખાતે ઝેડ કેટેગરી ની સુરક્ષા આપવામાં આવેલ છે.

જેનાથી આ 120 દુકાન નુ શોપિંગ સેન્ટર નો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત બીનઅધીકૃત પાર્કિંગના કારણે  શોપિંગ સેન્ટર ના વેપારીઓ ના ધંધા રોજગારી ને માઠી અસર પડેલ છે. આ બાબતે શોપિંગ સેંટર ના વેપારીઓ એ અગાઉ ઘણી લેખિત અને મૌખિક રજુઆત કરી છે. પણ કોઈ કાયમી ઉકેલ આવેલ નથી. હાલ શોપિંગ સેન્ટર ના વેપારીઓ ની હાલત કફોડી છે. 120 સ્થાનિક પરિવારો નું ભરણ પોષણ કરવું મુશ્કેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application