એસીબી દ્વારા આઠેક વ્યકિતઓની પૂછપરછ: હજુ પણ આરોપીઓ ફરાર
જામનગરની જી.જી.હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા લાંચ કેસમાં એક પટ્ટાવાળા ઉપર એસીબીએ છટકુ ગોઠવ્યા બાદ આ પટ્ટાવાળો નાશી છુટયો હતો, ત્યારબાદ મેડીકલ બોર્ડ અને મેડીસીન વિભાગના બે કર્મચારીને ઘેર બેસાડી દેવામાં આવ્યા છે, સમગ્ર પ્રકરણના અંતે આઠેક જેટલી વ્યકિતઓની પૂછપરછ કરવામાં આવી છે અને આ હોસ્પિટલના અધિક્ષક ડો.દિપક તિવારીને જરી સાહિત્ય સાથે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ અંગેની વિગત એવી છે કે, મેડીકલ સર્ટીફીકેટ કાઢી આપવા માટે પટ્ટાવાળા અશોક પરમાર દ્વારા લાંચ માંગવામાં આવી હતી અને તેનો પ્રથમ હપ્તો પણ ચુકવી દેવાયો હતો, બીજા હપ્તામાં એસીબીમાં ફરિયાદ કયર્િ બાદ છટકુ ગોઠવાયું હતું, ત્યારબાદ મેડીકલમાં ફરજ બજાવતાં રાજેશ કંટારીયા અને મેડીસીન વિભાગના કલાર્ક મહેશ લવાને ફરજ મુકત કરવામાં આવ્યા છે. કોલેજના એક મહીલા કર્મચારીની પણ એસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળી છે.
સમગ્ર પ્રકરણ અંગે જી.જી.હોસ્5િટલના અધિક્ષક ડો.દિપક તિવારીને ગાંધીનગરનું તેડુ આવતા તેની પાસેથી વિગતો સરકાર મેળવશે અને આ પટ્ટાવાળાને સ્પેશ્યલ ઓફીસ કોણે આપી ? તેમજ અન્ય ફરિયાદ અંગે પણ તેમની પાસેથી વિગત મેળવાશે, આમ હજુ પટ્ટાવાળાની ધરપકડ થઇ નથી પરંતુ સમગ્ર પ્રકરણની ચારેકોર ચચર્િ શ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech