તળાજા શહેરમાં સીપીઆઈ કચેરીની સામેના વિસ્તારમાં રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની તળાજા પોલીસ મથક ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકામાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે. તસ્કરો દ્વારા મંદિરોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. તેમજ બાઈક ચોરીના પણ અનેક બનાવો બની ચૂક્યા છે. ત્યારે તળાજા શહેરમાં આવેલ સીપીઆઈ કચેરીની સામેના વિસ્તારમાં જ તસ્કરોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો રહેણાંકી મકાનમાં ત્રાટકી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનું મકાન માલિક દ્વારા જણાવાયું હતું. જે મામલે તળાજા પોલીસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે તળાજા નગરપાલિકાના પૂર્વ નગરસેવક અને ભાજપ અગ્રણી રમેશભાઈ ભાલીયાએ જણાવ્યું હતું કે, ગત રાત્રીના કોઈપણ સમય દરમિયાન મુન્નાભાઈ પરસોત્તમભાઈ મકવાણાના મકાનમાંથી રાત્રી દરમિયાન અજાણ્યા ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ બાબતે તળાજા પોલીસ મથક ખાતે અરજી આપવામાં આવેલી છે. અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech