જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં એઆઈથી સ વચ્ર્યુઅલ વોલ બનાવવામાં આવશે જે જંગલને સુરક્ષિત તો બનાવશે જ સાથે પ્રાણીઓને માનવ વસાહતમાં આવતા રોકશે. જેવા પશુઓ બોર્ડર સુધી પહોચે કે તરત જ મોબઈલ પર મેસેજ આવી જશે અને વન અધિકારીઓ પશુને જંગલની અંદર તરફ દોરી જશે.
મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે વધતા સંઘર્ષને રોકવા માટે જીમ કોર્બેટ દ્રારા એક પાયલોટ પ્રોજેકટ શ કરવામાં આવ્યો છે. જો આ પ્રયોગ સફળ બનશે તો દેશના અન્ય અભયારણ્યોમાં પણ આ સીસ્ટમ લાગુ કરવામાં આવશે.
દેવભૂમિ ઉત્તરાખડં જંગલી પ્રાણીઓથી ભરેલું છે. આવી પરિસ્થિતિઓમાં, કેટલીકવાર આ પ્રાણીઓ વસાહતો તરફ આગળ વધે છે અને માણસો પર હત્પમલો કરવાનું શ કરે છે. છેલ્લા કેટલાક વર્ષેામાં, જંગલી પ્રાણીઓ વસાહતોમાં ઘૂસીને માણસો પર હત્પમલો કરવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આ સંદર્ભમાં, કોર્બેટ ટાઈગર રિઝર્વ દ્રારા ટેકનોલોજીથી સ એક મોટું પગલું લેવામાં આવ્યું છે, જે મનુષ્યની સાથે–સાથે પ્રાણીઓની સુરક્ષા માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે.ઉત્તરાખંડમાં માનવ–વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા માટે, કોર્બેટ ટાઈગર રિઝર્વના ધેલા અને ધીકુલી વિસ્તારોમાં એક પાયલોટ પ્રોજેકટ શ થયો છે, યાં પ્રાણીની હિલચાલ પર દેખરેખ રાખવા માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે, જેની મદદથી ખાસ દિવાલ બનાવવામાં આવી છે. વાઘ, હાથી અને દીપડા જેવા પ્રાણીઓ જંગલોમાંથી વસાહતો તરફ જાય છેતેમને જંગલ ની અંદર જ રોકવાનો આ પ્રયાસ છે .સીટીઆરના ડિરેકટર સાકેત બડોલાના જણાવ્યા અનુસાર, વચ્ર્યુઅલ વોલ ફોટોગ્રાસ કેપ્ચર કરે છે અને ઇન્ટરનેટ દ્રારા ડિપાર્ટમેન્ટના એઆઈ–સ સર્વર્સ પર ટ્રાન્સમિટ કરે છે. એઆઈ સિસ્ટમ પછી પ્રાણીઓના ડિજિટલ હસ્તાક્ષરો સાથે ફોટોગ્રાસને મેચ કરે છે અને ઇન–હાઉસ મોબાઇલ એપ્લિકેશન દ્રારા ફિલ્ડ સ્ટાફને ચેતવણીઓ મોકલે છે જેથી તેઓ કોઈપણ સંભવિત સંઘર્ષના કિસ્સામાં ઝડપી પગલાં લઈ શકે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વચ્ર્યુઅલ દિવાલમાં ઉત્તરાખંડની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટ્રિને અનુપ થોડો ફેરફાર કરવાની જર પડી શકે છે, જે મહારાષ્ટ્ર્રથી તદ્દન અલગ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech