રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં ડો.યાજ્ઞિક રોડ ઉપરના સર્વેશ્વર ચોકના વોંકળાનું કામ ચાલી રહ્યું હોય સરદાર નગર મેઇન રોડથી ન્યુ જાગનાથ પ્લોટ-૨૦ સુધીનો યાજ્ઞિક રોડ ચાર મહિના માટે બંધ કરાયો છે. આ સ્થિતિમાં માલવીયા ચોકથી રેસકોર્સ તરફ જતા વાહનચાલકો તેમજ યાજ્ઞિક રોડથી ટાગોર રોડ તરફ જતા વાહનચાલકો ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.૨૦ના રોડ ઉપરથી જ ચાલે છે ત્યારે મહાપાલિકા તંત્રએ આજે સવારથી બપોર સુધીમાં એલઆઇસી ઓફિસ સામેથી શરૂ કરીને ડો.મોરી ચોક સુધીનો રોડ ખોદી નાખતા હવે વાહનચાલકોએ ચાલવું ક્યાંથી તેવી સમસ્યા સર્જાઇ છે.
વિશેષમાં ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.૨૦ના રહીશોએ જણાવ્યું હતું કે હજુ તો આઠેક મહિના પૂર્વે નોરતા સમયે અહીં ડામરકામ કરાયું હતું ત્યાં ફરી રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, ચોમાસા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખોદકામ વહેલી તકે યોગ્ય રીતે પુરવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારની હાલત માઠી થઇ જશે. ન્યુ જાગનાથ-૨૦ના ૩૦ ફૂટ પહોળાઇના સાંકડા રસ્તા (શેરી)માં ખોદકામ કરાતા બે વાહનો સામસામે પસાર થવા પણ મુશ્કેલ બની ગયા છે. પીવાના પાણી માટેની નવી ડીઆઇ લાઇન નાખવા માટે ખોદકામ કરાઇ રહ્યું છે પરંતુ યાજ્ઞિક રોડ બંધ કરતા પૂર્વે આ કામગીરી કરવી જરૂરી હતી પરંતુ ઇચ્છાધારી મ્યુનિ.ઇજનેરોએ લોકોને સાનુકૂળ રહે તે મુજબ નહીં પરંતુ પોતાની ઇચ્છા મુજબ ખોદકામ શરૂ કરાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech