સુરતમાં વધુ એક રત્નકલાકાર પરિવારે આર્થિક સંકડામણથી કંટાળીને સામૂહિક આપઘાત કર્યો છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા, પિતા અને પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પરિવાર આર્થિક સંકટમાં મુકાયું હતું, જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હતું.
મૃતક પિતા અને પુત્ર છેલ્લા 15 વર્ષથી હીરા ઉદ્યોગમાં કામ કરતા હતા. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે તેમની આવક ઘટી ગઈ હતી, જેના કારણે પરિવાર આર્થિક સંકટમાં મુકાયો હતો. આર્થિક સંકટથી કંટાળીને પરિવારે સામૂહિક આપઘાતનો રસ્તો પસંદ કર્યો હતો.
મૃતકોનાં નામ
(1) ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા (પિતા)
(2) વનિતાબેન ભરતભાઈ સસાંગિયા (માતા)
(3) હર્ષ ભરતભાઈ સસાંગિયા (પુત્ર)
આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીની ગંભીર સ્થિતિને ઉજાગર કરી છે. રત્નકલાકાર પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને સરકાર દ્વારા તેમને મદદની જરૂર છે.
ડી. એસ. પટેલ (એસીપી)એ જણાવ્યું હતું કે રાત્રે પરિવારના ત્રણેય સભ્યોએ દવા પીને આપઘાત કરી લીધો હતો. આ પરિવારે તેમનો પોતાનો ફ્લેટ વેચવા કાઢ્યો હતો અને એક ખરીદનાર દ્વારા બહાના પેટે રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ફ્લેટ પર બેંકની લોન પણ હતી, જેની લોન ભરપાઈ ન થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું. આ અંગે ફ્લેટ ખરીદનારને જાણ ન હતી. તેમને જાણ થતાં બહાના પેટે આપેલા રૂપિયા પરત આપવા ઉઘરાણી કરી રહ્યા હતા. બેંકનું પ્રેશર હતું અને બેંકના કારણે તેમનું ઘર જાય એમ હતું. સુસાઇડ નોટ લખીને પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech