ભારતમાં કર્મચારીઓ નોકરીમાં જોડાયાના છ મહિનામાં નોકરી છોડી દેવાનું ચલણ વધી રહ્યું છે. આને 'શિશુ એટિ્રશન' કહેવાય છે, જે ઝડપથી વધી રહ્યું છે. પ્રતિ વર્ષે આ દર ૪–૫ ટકા વધી રહ્યો છે. આ ખાસ કરીને કન્યુમર ડુરેબલ્સ, આઈટી અને સોટવેર, બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (બીએફએસઆઈ) જેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં લોકો નોકરી છોડે છે.
ટીમલીઝ સર્વિસીસના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર સુબ્બુરાથિનમ પી અનુસાર, ભારતમાં ૨૨–૩૨ વર્ષની વયના લોકોમાં શિશુ એટિ્રશનનું વલણ ૪–૫ ટકાના દરે વધી રહ્યું છે. તેની પાછળના કારણોમાં નબળું વર્ક–લાઇફ બેલેન્સ, સુગમતાનો અભાવ, નોકરી પ્રત્યે અસંતોષ, શિક્ષણ અને ઓછો પગાર સામેલ છે. તેમણે કહ્યું કે, આ કારણોસર યુવા કર્મચારીઓ તેમની નોકરી છોડીને વધુ સારી તકો શોધે છે.
આ સિવાય કરિયરમાં વૃદ્ધિની તકોનો અભાવ, કંપનીનું કલ્ચર, ઓફિસનું વાતાવરણ, મેનેજર સાથેના સંબંધો અને પરિવારમાં થતા ફેરફારો પણ નવા કર્મચારીઓને વહેલી નોકરી છોડવા માટે પ્રેરિત કરે છે.સુબ્બુરાથિનામે કહ્યું કે, 'શિશુ એટિ્રશન'નો અર્થ એ પણ થઈ શકે છે કે નોકરીની વધુ તકો છે, જેના કારણે લોકો નોકરી બદલવામાં સરળતા અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતમાં ૨૦૦૦ના દાયકાની શઆતમાં, આઈટી સેકટરમાં શિશુ એટિ્રશનનું વલણ વધુ જોવા મળ્યું હતું. આઈટી ઉધોગના ઝડપી વિકાસથી કુશળ વ્યાવસાયિકોની માંગમાં વધારો થયો છે, જેના કારણે કંપનીઓ માટે નવા કર્મચારીઓને જાળવી રાખવાનું મુશ્કેલ બન્યું છે. આ વલણની કંપનીઓ પર પણ મોટી નાણાકીય અસર પડે છે, જેમાં ભરતી, તાલીમ અને કાર્ય ઉત્પાદકતાનો સમાવેશ થાય છે. એવો અંદાજ છે કે, શિશુ એટિ્રશન વાર્ષિક કુલ શ્રમ ટર્નઓવરમાં લગભગ ૧૦–૧૫ ટકા ફાળો આપે છે.
સુબ્બુરાથિનમના જણાવ્યા અનુસાર, ઉપભોકતા એપેરલ સેકટરમાં સૌથી વધુ ૪૯ ટકા એટિ્રશન જોવા મળી રહ્યું છે, યાં નવા કર્મચારીઓ છ મહિનાની અંદર રજા આપે છે. આ સિવાય આઈટી, સોટવેર, બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસ, ઈન્સ્યોરન્સ, ટેલિકોમ, રિટેલ અને મેન્યુફેકચરિંગ સેકટરમાં પણ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ વલણ દક્ષિણ ભારતમાં સૌથી વધુ જોવા મળે છે, યાં શિશુ એટિ્રશનનો દર ૫૧ ટકા સુધી પહોંચી ગયો છે. લિંગના આધારે, એટિ્રશન રેટ પુષોમાં ૮૪.૫ ટકા અને ક્રીઓમાં ૧૫.૫ ટકા છે. મહારાષ્ટ્ર્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા રાયોમાં શિશુઓના એટિ્રશનનો દર સૌથી વધુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech