રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાત્રે યોજાનાર "લોકડાયરા"નો કાર્યક્રમ ભારે વરસાદને પગલે રદ કરાયો

  • August 25, 2024 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા દ્વારા એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, આજે તા.૨૫/૦૮/૨૦૨૪, રવિવારના રોજ રાત્રે ૦૮:૩૦ કલાકે યોજાનાર, લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા દ્વારા પ્રસ્તુત "લોકડાયરો" વોર્ડ નં.૧૪, શ્રી પવન પુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ ખાતે યોજાનાર હોય જે ભારે વરસાદને પગલે આ લોકડાયરનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. જેની શહેરીજનોએ નોંધ લેવા વિનંતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application