ભારતવર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી પૂરી મંદિરના મુખ્ય પૂજારીએ મહાપ્રસાદીભૂત ધજા લાવી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના મંદિરના બન્ને શીખરો ઉપર ધજા ચઢાવી હતી.
ભગવાન જગન્નાથનું સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર ઓરિસ્સાના પુરી શહેરમાં આવેલું છે જે સપ્તપુરીઓમાંનું એક માનવામાં આવે છે. તેથી આ સ્થાનને સનાતન ધર્મના ચાર ધામોમાંનું એક ગણવામાં આવે છે.જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. એવા ઓરિસ્સાપુરી ભગવાન જગન્નાથ સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરથી પધારેલ મંદિરના મુખ્ય પૂજારી સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દાદાના દર્શનાર્થે આવ્યા હતા. તેમનું મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ભગવાન જગન્નાથપુરી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા ત્યાંની મહાપ્રસાદીભૂત ધજા લાવી અને ભારતવર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીપૂરીની ધજા કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના મંદિરના બન્ને શીખરો ઉપર ધજા લહેરાવી હતી.તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીને સાલ ઓઢાડી ભગવાન જગન્નાથજીની શુભકામનાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech