પટના
બિહારમાં પુલ ધ્વસ્ત થવાની તો અનેક ઘટનાઓ સામે આવી હતી પણ હવે એક વિચિત્ર માહિતી સામે આવી છે. બિહારમાં એવી જગ્યાએ પણ પુલ બાંધવામાં આવી રહ્યા છે કે યાં રોડ કે નદી કઇ જ નથી, માત્ર ખેતરમાં પુલ બાંધવામાં આવ્યો છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બિહારના રાણીગજં પ્રખંડના પરમાનંદપુર ગામમાં એક ખેતરમાં પુલ બનાવી દેવાયો હતો, આ પુલ મૂળ તો એક સુકાઇ ગયેલી નદી પર અને આશરે ત્રણ કિમીના રોડ માટે બનાવવાનો હતો પણ બિહાર સરકારના હોશિયાર અધિકારીઓએ ખેતરમાં જ તેનું નિર્માણ કામ કરી નાખ્યું. આ પુલ હાલ ધૂળ ખાઇ રહ્યો છે અને તેનો હવે કોઇ જ ઉપયોગ નથી થઇ રહ્યો.
સામાન્ય રીતે નદી નાળા પર કે રોડને જોડવા માટે પુલ બંધાતા હોય છે પણ ખેતરમાં જ પુલ બાંધવાની આ ઘટનાએ ભારે કુતુહલ જગાવ્યું છે. અધિકારીઓની આ વિચિત્ર કારીગરીને કારણે ગ્રામજનો પણ ભારે રોષે ભરાયા છે.
ગ્રામજનોનું કહેવુ છે કે આ પુલના નિર્માણમાં ભ્રષ્ટ્રાચાર થયો છે. નદીને બાજુમાં મુકીને એક ખાનગી જમીન પર પુલ બાંધી દેવાયો છે. એટલે કે પુલ કોઇ સરકારી જમીન પર નહીં પણ ગામના જ એક ખેડૂતની જમીન પર બાંધી દેવાયો હતો.
સમગ્ર ઘટનાના અહેવાલો મીડિયા દ્રારા બહાર આવતા અરરિયાના ડીએમ દ્રારા પગલા લેવાયા હતા અને તપાસના આદેશ અપાયા છે. ડીએમ ઇનાયત ખાને ગ્રામીણ કાર્ય વિભાગના અધિકારીઓને તપાસ કરીને રિપોર્ટ સોંપવા કહ્યું હતું.
ગામના લોકોનું કહેવુ છે કે કેટલાક વચેટિયાઓનું આ કામ છે, ખુલ્લા ખેતરમાં નદી–રસ્તા વગર જ પુલ તો બનાવી નાખ્યો બાદમાં તેને હટાવવા માટે પણ કોઇ ન આવ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech