સગીરાઓના અપહરણ બનાવવાની લઈ પોલીસે પરપ્રાંતીઓને કાયદાની સમજ આપી

  • January 09, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સગીરાઓના લાપતા થવાના અને ઘર છોડીને ચાલ્યા જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના આજીડેમ પોલીસ મથકના સ્ટાફ દ્રારા આજી વસાહત તથા આસપાસના વિસ્તારોમાં પરપ્રાંતીય લોકોને કાયદાની સમજ આપી આ બાબતે જાગૃતિ લાવવા માટે સરહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જેસીપી વીધી ચૌધરીના અને એસીપીના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ મથકના પી.આઈ એલ.એલ.ચાવડાની રાહબરીમાં આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વસવાટ કરનાર પરપ્રાંતિય લોકોને આજીડેમ પોલીસ મથકની મહિલા ટીમ તેમજ પૂર્વ વિભાગની શી ટીમ દ્રારા આ પરપ્રાંતિય લોકોને સગીરાઓના અપહરણના બનાવને લઇ કાયદાકીય સમજ આપવામાં આવી હતી જેના થકી તેમાં કાયદાઓને લઈ જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ કામગીરીમાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ સાથે રહ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application