પંચાયત વિભાગના ટેબ્લોને રાજ્યના ચાર મહાનગરોમાં ફેરવવામાં આવશે

  • August 13, 2024 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૪ મહાનગરોમાં બે કિલોમીટર લાંબી મેગા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા "હર ઘર તિરંગા"ની થીમ પર આધારિત સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓને આવરી લેતો ટેબ્લો તૈયાર કરીને યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરવામાં આવી રહ્યો છે.  આ ટેબ્લોમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ અંગેનો ટેબ્લો પણ તૈયાર કરવામાં આવ્યો છે.


સરકારના વિવિધ વિભાગો સહિત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ જન જન સુધી પહોંચાડવા આ ટેબ્લો ગઈકાલ તારીખ ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ શહેરમાં ફેરવવામાં આવ્યો હતો.    
જ્યારે  તારીખ ૧૧ ઓગસ્ટના રોજ સુરત અને  તારીખ ૧૨ ઓગસ્ટના રોજ વડોદરા તથા તારીખ ૧૩ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાનાર મેગા પરેડમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો ટેબ્લો ફેરવવામાં આવશે.તેમ ભાવનગર જિલ્લા પંચાયત કચેરી દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application