કેનેડાએ તેના પાડોશી અમેરિકા માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. કેનેડામાં રહેતા ભારતીયોએ હવે આર્થિક ઉપાર્જન માટે અમેરિકા તરફ નજર દોડાવી છે અને ભારતીયો પગપાળા સરહદ પાર કરીને આશ્રય મેળવવા અમેરિકા પહોંચી રહ્યા છે. તેનાથી કેનેડાના વિઝા સ્ક્રિનિંગ પર સવાલો ઉભા થયા છે.
છેલ્લા થોડા સમયમાં આ સંખ્યામાં જોરદાર ઉછાળો જોવાયો છે.
કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયો દસ્તાવેજો વગર અમેરિકા જઈ રહ્યા છે. આ આંકડો તેના સર્વેાચ્ચ સ્તરે પહોંચી ગયો છે. લોકોના સતત ગેરકાયદે પ્રવેશને કારણે કેનેડાની વિઝા સ્ક્રિનિંગ પ્રક્રિયા હવે પ્રશ્નના ઘેરામાં આવી ગઈ છે.આ સિવાય કેનેડા જતા મુસાફરોએ એવી મુસાફરી કરી હોવાના અહેવાલો પણ છે કે તેમને યુકેમાં જ રહેવું પડે છે. આ પછી યુકેમાં આશ્રય મેળવવાના કેસ પણ વધી રહ્યા છે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશનના તાજેતરના ડેટા અનુસાર, આ વર્ષે જૂન મહિનામાં જ ૫,૧૫૨ ભારતીયો કેનેડાથી પગપાળા દસ્તાવેજો વિના અમેરિકામાં પ્રવેશ્યા હતા.એક રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર ૨૦૨૩થી દર મહિને કેનેડાથી અમેરિકામાં પ્રવેશનારા ભારતીયોની સંખ્યા મેકિસકો બોર્ડરથી દાખલ થનારા ભારતીયોની સંખ્યા કરતા વધુ થઈ ગઈ છે. કેનેડા અને અમેરિકા વચ્ચે ૯૦૦૦ કિલોમીટરની સરહદ છે. તે વિશ્વની સૌથી લાંબી ખુલ્લી સરહદ છે, જે મેકિસકો–યુએસ સરહદની લંબાઈ કરતા બમણી છે.
યુએસ સીબીપીના ડેટા અનુસાર, આ વર્ષે જાન્યુઆરી અને જૂન વચ્ચે દર મહિને યુએસ બોર્ડર પર પકડાયેલા ભારતીયોની સરેરાશ સંખ્યા ૨૫૪૮ થી ૨૦૨૪ માં ૪૭ ટકા વધીને ૩૭૩૩ થઈ ગઈ છે. ૨૦૨૧માં તે માત્ર ૨૮૨ હતો, જેમાં ૧૩ ગણો ઉછાળો જોવા મળ્યો છે
કેનેડાએ શું કહ્યું?
યુએસ અને યુકે બંનેએ કેનેડાને તેમની ચિંતાઓથી વાકેફ કર્યા છે. રિપોર્ટ અનુસાર અમેરિકાએ વધુ કડક વિઝા સ્ક્રીનિંગ પ્રક્રિયાની માંગ કરી છે. ઇમિગ્રેશન, રેયુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડાના પ્રવકતાએ કહ્યું, અમે આ સમયે યુએસ અથવા યુકે સાથેની કોઈપણ વાટાઘાટો પર ટિપ્પણી કરી શકીએ નહીં. કેનેડા આ પ્રવૃત્તિઓ પાછળના નેટવર્કને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુએસ ગૃહ મંત્રાલયે કહ્યું કે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે સુવિધાનો દુપયોગ ન થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech