ખંભાળિયાના આધેડે ઝેરી ટીકડા ખાઈને આયખુ ટુંકાવ્યું

  • August 28, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ગોવિંદ તળાવ વિસ્તારમાં રહેતા લાલાભાઈ પબાભાઈ ગમારા નામના ૫૫ વર્ષના આધેડે કોઈ અકળ કારણોસર શનિવારે પોતાના નાનાભાઈના ઘરે જઈને પોતાના હાથે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર લાખાભાઈ લાલાભાઈ ગમારા (ઉ.વ. ૨૬) એ અહીંની પોલીસને કરી છે
**
ખંભાળિયાની યુવતીએ બીમારીથી કંટાળીને જિંદગી ટૂંકાવી
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે રહેતી નીપાબેન અશ્વિનભાઈ મકવાણા નામની ૨૨ વર્ષની પરિણીત યુવતીને છેલ્લા કેટલાક સમયથી સ્ત્રીરોગ અંગેની બીમારી હોય અને તેણીની સારવાર પણ ચાલુ હતી. આ બીમારીથી કંટાળીને નીપાબેને શનિવારે ઘાસમાં નાખવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ અશ્વિનભાઈ ધનાભાઈ મકવાણા (ઉ.વ. ૨૫) એ સલાયા મરીન પોલીસને કરતા આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application