જૂનાગઢમાં શિયાળો અસલ રંગમાં આવ્યો હોય તાપમાનનો પારો ગગડી રહ્યો હોય ઉપરાંત સુસ્વાટા મારતા પવનની ઝડપ થી શહેરીજનો ઠુંઠવાઈ ગયા છે. ગત રાત્રે પવનની વધુ ઝડપના કારણે આખી રાત બારી બારણાઓના ખખડાટ રહ્યા હતા તો શહેરીજનોએ પવનના કારણે મીની વાવાઝોડા જેવા અહેસાસ થયો હતો.બે દિવસ લઘુતમ તાપમાન વધ્યું હતું પરંતુ આજે ફરીથી તાપમાનનો પારો ગગડયો હતો. આજે એક જ દિવસમાં લઘુતમ તાપમાન નો પારો ૮.૩ ડીગ્રી ઘટો હતો. આજે નોંધાયેલા હવામાન મુજબ શહેરમાં ૧૦.૩, ભવનાથ તળેટી ૮.૩ અને ગિરનાર પર્વત પર ૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું યારે વાતાવરણમાં ભેજ૬૦ ટકા અને૫.૫ પ્રતિ કિલોમીટરની પવનની ઝડપ નોંધાઈ હતી.પવનની ગતિ સામાન્ય થતા રોપવે પાંચ દિવસ બાદ શ થયો છે.
ગઈકાલે રાત્રે તો સુસ્વાટા મારતા પવનના કારણે રાત્રે બજારો સુમસામ જોવા મળી રહી હતી લોકોને બારી બારણાઓના ખખડાટ આખી રાત સાંભળવા મળ્યા હતા. જેથી લોકોના જીવ ઉચકાયા હતા. ગિરનાર પર્વત પર વાતાવરણ ઠંડુ ગાર થયું છે. પર્વત પર સીમલા મનાલી જેવું આહલાદક વાતાવરણ અનુભવાયું હતું. શહેરમાં ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડો હતો તો બીજી તરફ ઠંડી અને ધૂળ બંનેથી બચવા માસ્કના વેચાણમાં વધારો થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતેલંગાણા મંદિરમાં મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોતી મહિલાઓનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ
May 16, 2025 03:36 PMછત્તીસગઢમાં દેશના પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રકનું લોન્ચિંગ
May 16, 2025 03:30 PMકુખ્યાત શખસ અજય પરસોંડાના મકાન પર બપોરબાદ બુલડોઝર ફેરવી દેવાશે
May 16, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech