રાજકોટની ભાગોળે કુવાડવા હાઇવે પર નાકરાવાડી અને પીપળીયા ગામ નજીક આવેલી કેબીઝેડ ફૂડ નામની નમકીનની ફેકટરીમાં આજે સવારે 9 વાગ્યે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. થોડીવારમાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે જાણવા મળેલી વિગતો મુજબ, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગની આ ઘટનામાં મોટાપાયે નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. ફાયરના 50 જેટલા જવાનો આગ બુજાવવા માટે કામે લાગ્યા છે છતાં હજુ આગ કાબૂમાં આવી નથી.
તમામને કર્મચારીઓને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા
KBZ ફૂડ લિમિટેડ નામની કંપનીના એચઆર મેનેજર સત્યજીત ઝાલાએ જણાવ્યું કે, અહીં સવારે 9 વાગ્યાનો સમય છે. 9.15 આસપાસ મને કોલ આવ્યો હતો કે, કંપનીમાં આગ લાગી છે, જેથી મેં તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી હતી. હું ચોખડા સર્કલથી ફાયરની ગાડીઓ સાથે જ આવ્યો હતો. વેફર્સ અને નમકીનની કંપની હોવાથી આગ વધુ ફેલાય તેવું તમામ મટિરિયલ હોવાથી આગ વધારે ફેલાઈ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. કંપનીમાં 200થી 250 જેટલા કર્મચારી કામ કરે છે, તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતાં.
પાંચ જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે
આ મામલે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પીપણિયાની બાજુમાં KBZ ફૂડ લિમિટેડ નામની કંપનીમાં સવારે 9:25 મિનિટે અમને આગ લાગવાનો કોલ મળ્યો હતો. જેને પગલે તરત જ એક ટીમ રવાના કરવામાં આવી હતી. આગ મોટી હોવાની જાણ થતાં થોડીવાર બાદ અન્ય ચાર મળીને કુલ ચાર-પાંચ ટીમો બોલાવવામાં આવી છે અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. વાંકાનેર મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. હાલ ફાયરની ત્રણ ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. થોડીવારમાં બીજી બે ટીમો પહોંચી જશે. જેના કારણે આગ પર ઝડપથી કાબૂ મળી જવાની શક્યતા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા મળ્યું નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું.
અંદર કોઈ ફસાયેલું નથીઃ આર. એ. જોબન
રાજકોટ મનપાનાં ફાયર ઓફિસર આર. એ. જોબને જણાવ્યું હતું કે, હાલ 50 જેટલા ફાયરના જવાનોની ટીમો આગ પર કાબુ મેળવવા કામ કરી રહી છે. આગ ઓઇલ ટેન્કમાં ફેલાઈ હતી, જેના ઉપર મિકેનિકલ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નુક્સાનીનો હજુ કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ આગ લાગી ત્યારે અંદર કોઈ નહીં હોવાની ખાતરી અગાઉ જ કરી લેવામાં આવી છે. જેથી જાનહાનિ થવાની કોઈ શક્યતા નથી. હાલ ચાર ગાડીની મદદથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને પાંચમી ગાડી ટૂંક સમયમાં જ આવી રહી છે. પાણી માટે ફેકટરીમાં આવેલા મોટા ટાંકામાંથી પાણી લેવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આગ કાબુમાં આવી જાય તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMજાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ
May 12, 2025 05:44 PMજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech