ગુજરાતમાં રાત્રે 11:31 મિનિટે ચંદ્રગ્રહણ શરૂ થશે અને 3:56 કલાકે પૂર્ણ થશે, જાણો તમારા રાશી પર શું થશે અસર

  • October 27, 2023 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતીકાલે શનિવારે ચંદ્રગ્રહણ છે વિક્રમ સંવત 2079 આસો સુદ પૂનમને શનિવાર તા.28, 29ના દિવસે મેષ રાશીમાં અશ્વીવિની નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. ગુજરાતમાં દેખાશે. આથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે.


ચંદ્રગ્રહણનો સમય શનિવારે રાત્રે ચંદ્રગ્રહણનો પ્રારંભ રાત્રે 11-31 ચંદ્રગ્રહણ પૂરું થવાનો સમય રાત્રે 3-56 કલાકે, ચંદ્રગ્રહણનો વેધ શનિવારે બપોરે 2-31 કલાકથી થશે તથા બાળકો, રોગી, વૃદ્ધ, સર્ગભા  સ્ત્રીઓ માટે વેધ શનિવારે રાત્રે 9 કલાકથી શરૂ થશે. ગ્રહણ દરમિયાન તથા ગ્રહણના વેધ દરમિયાન પાણી પીવું નહીં, ભોજન કરવું નહીં, નિંદ્રા કરવી નહીં, ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રના જપ કરવા, ૐ સોમ સોમાયનમ: અથવા તો પૂરાણકિત મંત્રના જાપ પણ કરી શકાય છે જે લોકોની જન્મ કુંડળીમાં ગ્રહણ યોગ હોય, શનિ ચંદ્રનો વિષયોગ હોય માનસિક બીમારી હોય તો ચંદ્રગ્રહણ દરમ્યિાન સતત ચંદ્રના જપ કરવાથી તેમાં રાહત મળશે.


ગ્રહણનું શુભ અશુભ ફળ 3 મહિના સુધી મળેે છે. ગ્રહણ પૂરું થાય એટલે સ્નાન જરૂર કરવું અને ત્યારબાદ દાન કરી શકાય છે. ગ્રહણ પૂરું થાય એટલે ચોખા, ખાંડ, સફેદ કાપડ, સાકર તથા સફેદ વસ્તુનું દાન કરવું ઉત્તમ ફળ આપનાર છે.

ચંદ્રગ્રહણ દરમિયાન મંત્ર દિક્ષા લઈ શકાતી નથી.
આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ અમેરિકા, યુરોપ અને આફ્રિકા, બેલ્જિયમ, થાઈલેન્ડ, પોર્ટૂગલ, હંગેરી, ઈજિપ્ત, તૂર્કી, ઈન્ડોનેશીયા, ગ્રીસ, ઈટાલી, સ્પેન, ઈંગ્લેન્ડ, મ્યાનમાર, સાઉથ આફ્રિકા, ફ્રાંસ, જાપાન, ચીનમાં દેખાશે તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું.


ચંદ્રગ્રહણનું રાશિ પ્રમાણે ફળ


- શુભફળ: વૃષિક, કુંભ, મિથુન, કર્ક
-મિશ્રફળ: સિંહ, તુલા, ધન, મીન
-અશુભફળ: મેષ, મકર, કન્યા, વૃષભ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application