મહારાણા નટવરસિંહજી ઉદ્યાનની કમલ તલાવડી કાદવ-કીચડથી છલકાઇ ગઇ!

  • May 12, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં શહેર મઘ્યે આવેલા ખીજડીપ્લોટના મહારાણા  નટવરસિંહજી ઉદ્યાન ખાતે બનાવવામાં આવેલ કમળ તલાવડી કાદવ-કીચડથી છલકાઇ ગઇ છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તે માટે રજુઆત થઇ છે.
પોરબંદરની બર્ડ ક્ધઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ ‚ઘાણીએ જણાવ્યુ છે કે કરોડો ‚પિયાના ખર્ચે પોરબંદરના ખીજડીપ્લોટમાં મહારાણા નટવરસિંહજી ઉદ્યાન બનાવવામાં આવ્યો છે અને આ બગીચામાં મુખ્ય દરવાજા પાસે જ કમળ તલાવડી બનાવવામાં આવી હતી. જેમાં શ‚આતના તબક્કે અનેક કમળ ખીલતા હતા પરંતુ તંત્ર દ્વારા જાળવણી  કરવામાં આવી નહી હોવાથી આ કમળ તલાવડીમાં હવે દોઢ-બે ફૂટ જેટલો કાદવ-કીચડ જમા થઇ ગયો છે અને કમળનું તો નામો નિશાન જોવા મળતુ નથી. તેમણે વધુમાં જણાવ્યુ છે કે પાણી પણ સુકાઇ ગયુ છે અને કાદવમાં કેનાનું વાવેતર કરવામાં આવ્યુ છે અને અંદર મચ્છર સહિત ઝેરી જીવજંતુઓનો ત્રાસ વધવા પામ્યો છે માટે મહાનગરપાલિકાના તંત્રએ કમલ તલાવડીને પુન: સજીવન કરવી જ‚રી બની છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application