કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા તેમને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે આ ઓફર ફગાવી દીધી હતી. ગડકરીએ કહ્યું કે આ ઑફર વિપક્ષના એક મોટા નેતાએ કરી હતી પરંતુ મેં એ કહીને ના પાડી દીધી કે મને આ પદની કોઈ ઈચ્છા નથી.
નાગપુરમાં પત્રકારત્વ પુરસ્કાર દરમિયાન તે ઘટનાનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું કે હું કોઈનું નામ નહીં લઉં પરંતુ જે નેતાએ મને આ ઓફર કરી હતી તેણે કહ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશું. મેં તેમને પૂછ્યું કે તમે મને કેમ ટેકો આપવા માંગો છો અને હું શા માટે તમારો ટેકો લઉં? મેં તેમને કહ્યું કે પીએમ બનવું મારા જીવનનું લક્ષ્ય નથી.
હું મારી વિચારધારાને વફાદાર છું
મેં તેમને કહ્યું કે હું મારી વિચારધારા અને સંગઠનને વફાદાર છું. હું એ પાર્ટીમાં છું જેણે મને તે બધું આપ્યું છે જેનું મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. કોઈ ઓફર મને લલચાવી શકતી નથી. હું કોઈ પણ હોદ્દા માટે બાંધછોડ કરીશ નહીં.કારણકે હું દ્રઢ વિશ્વાસ ધરાવતો વ્યક્તિ છું. આ દરમિયાન ગડકરીએ પત્રકારત્વ અને રાજકારણ બંનેમાં નૈતિકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ગડકરીએ નૈતિકતા પર વિશેષ ભાર મૂક્યો હતો
પોતાના ભાષણમાં ગડકરીએ એમ પણ કહ્યું કે જે વ્યક્તિ ઈમાનદારીથી વિરોધ કરે છે તેનું સન્માન કરવું જોઈએ. ન્યાયતંત્ર, કારોબારી, ધારાસભા અને મીડિયા જેવા ચારેય સ્તંભો નૈતિકતાને અનુસરે ત્યારે જ લોકશાહી સફળ થઈ શકે. ગડકરીએ સમારોહમાં ચાર વરિષ્ઠ પત્રકારોને 2023-24 માટે પત્રકારત્વમાં શ્રેષ્ઠતા માટે અનિલકુમાર એવોર્ડથી સન્માનિત કર્યા.
પક્ષ-સંઘમાં ગડકરીની વિશેષ ઓળખ
2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેમનું નામ વડાપ્રધાન પદ માટે રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ કેન્દ્રીય મંત્રીએ તેને ફગાવી દીધું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં છે. અમે બધા તેમની પાછળ છીએ. મારા પીએમ બનવાનો સવાલ જ નથી. ગડકરી નાગપુર લોકસભા સીટથી ત્રણ વખત સાંસદ બન્યા છે. પાર્ટી અને સંઘમાં તેમની એક અલગ ઓળખ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech