વ્યાજખોરી વિદ્ધ પોલીસ દ્રારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં વ્યાજખોરી અંગેની વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. જસદણના શિવરાજપુર ગામે રહેતા ખેડૂત યુવાને વ્યાજે નાણા લીધા બાદ આ રકમની પઠાણી ઉઘરાણી કરી યુવાનની જમીનનું બળજબરીપૂર્વક સાટાખત કરાવી લઈ દસ્તાવેજ કરી આપવાની ધમકીઓ આપી જમીન પડવાની કોશિશ કરી હતી. જે અગં યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણના શિવરાજપુર ગામે ખોડીયારનગરમાં રહેતા ખેડૂત યુવાન દિનેશ ખોડાભાઈ મકવાણા(ઉ.વ ૩૮) નામના યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણમાં જ રહેતા અશોક ઉનડભાઈ ધાધલ, મહાવીર ધીભાઈ ખાચર,ઉદય અશોકભાઈ ધાધલ અને દહીસરાના મહેન્દ્ર કનુભાઈ ધાધલના નામ આપ્યા છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને પૈસાની જરિયાત હોવાથી આરોપી અશોક ધાધલ પાસેથી પિયા દોઢ લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા જેના બદલામાં ૧.૭૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરે છે. આરોપી મહાવીર ખાચર પાસેથી ફરિયાદીએ ૨.૫૦ લાખ ૧૫ ટકા વ્યાજ લીધા હતા જેના બદલામાં પિયા ૩ લાખ ચૂકવી દીધા હોવા છતાં તે વ્યાજની પઠાણી ઉઘરાણી કરે છે. આરોપી મહાવીર અને મહેન્દ્ર ફરિયાદી પાસે આવી ગાળાગાળી કરી વ્યાજ તથા મૂળ રકમની ઉઘરાણી કરી ફરિયાદી તથા તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી ફરિયાદી પાસેથી યુનિયન બેન્કના ફરિયાદીની સહીવાળા રકમ ભર્યા વગરના બે કોરા ચેક પડાવી લીધા હતા.આ ઉપરાંત ફરિયાદીને ધમકીઓ આપી તેની શિવરાજપુર ગામની ત્રણ વીઘા જમીનનો વેચાણ સાટાખત કરાવી નાખ્યો હતો ત્યારબાદ પણ વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી તેમજ આરોપીઓએ ફરિયાદીને જમીનનો દસ્તાવેજ કરી આપવા ધમકી વાપી બળજબરીથી જમીન પડવાની કોશિશ કરી હતી.ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદી અશોક ધાધલ પાસેથી જે વ્યાજે રકમ લીધી હોય તેને લઈ તેનો પુત્ર ઉદય ધાધલ ફરિયાદીને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજ અને મૂળ રકમની પઠાણી ઉઘરાણી કરતો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી જસદણ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવવા અંગે વધુ તપાસ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઇ ટી.બી.જાની ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech