મતદાનના ૪૮ કલાક પહેલા ગુજરાતને જોડતી આંતરરાજ્ય સરહદો થશે સીલ

  • April 04, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ગઈકાલે ભારતના ચૂંટણી પંચ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાજય સરહદ મતદાન પૂર્વેના ૪૮ કલાક પહેલા સીલ કરવા આદેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ચૂંટણી સંબંધીત ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડુ હિસ્ટ્રીશીટર અને ગુનાગારો સાથે સંયુક્ત રીતે કાર્યવાહી કરવા જણાવાયું છે.
​​​​​​​
આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ગુજરાત સાથે સંકળાયેલી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના રાજ્યોની સરહદો પર ચેકપોસ્ટ પર સઘન અને સરપ્રાઈઝ ચેકિંગ કરવામા આવશે. આંતરરાષ્ટ્રીય સરહદો પરથી ગેરકાયદેસર દારૂ રોકડ અને ડ્રગ્સના પ્રવાહને બંધ કરવા સૂચના આપવામાં આવી છે સીસીટી સાથે ચેક પોસ્ટ પર મોનિટરિંગને વધુ મજબૂત બનાવવા જણાવ્યું છે.
આ ઉપરાંત પોલીસ આબકારી પરિવહન જીએસટી અને વન વિભાગ દ્વારા સંયુક્ત ચેકિંગની કામગીરી કરાશે જ્યારે હેલિપેડ એરપોર્ટ બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન પર કડક ઙ્ગજર રાખવામાં આવશે પોલીસ દળ અને વિવિધ સ્ટેટસ એજન્સીઓને સાવધ રહેવા જણાવ્યું છે રાજ્યના મુખ્ય સચિવ, રાજ્યના પોલીસવડા ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને નિષ્પક્ષ સ્વતંત્ર અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી થાય તેવો ચૂંટણી પંચે આગ્રહ રાખ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application