શહેરના ઢેબર રોડ, રિદ્ધિ સિદ્ધિના નાળા નજીક બુધવારે રાતે યુવાનની હત્યા થઇ છરીના ઘા ઝીંકી હત્યા કરનાર હિસ્ટ્રીશીટરને પોલીસે ઝડપી લીધા બાદ આજરોજ તેને કોર્ટ હવાલે કર્યેા છે. આરોપી સામે હત્યા,હત્યાનો પ્રયાસ સહિતના ૨૧ ગુના નોંધાઇ ચૂકયા છે.ગોંડલ ચોકડી પાછળ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી–૫માં રહેતા અને ભજીયાના કારીગર સંજય મહેશભાઇ મારડિયા(ઉ.વ ૩૫) નામના યુવાનની બુધવારે રાતે તેના ઘર પાસે છરીના ઘા ઝીંકી હિસ્ટ્રીશીટર ભરત ભીમદાન દેથા(ગઢવી)(ઉ.વ ૩૫) એ હત્યા કરી હતી.બનાવ અંગે મૃતકની પત્ની હીનાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, બુધવારે નવેક વાગ્યાના અરસામાં પતિને જમવા માટે ફોન કર્યેા હતો. ત્યારે પતિએ ભરત ગઢવી મારી સાથે લપ કરતો હોવાનું કહ્યું હતું. બાદમાં ભરત ગઢવીએ છરીનો ઘા ઝીંકી દીધાની જાણ થઇ હતી. જેથી ઈંડાંની લારીએ પહોંચતા પતિ લોહીલુહાણ હાલતમાં બેભાન પડો હતો. તુરતં હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ અહીં ફરજ પરના તબીબે મોત નીપયાનું જાહેર કયુ હતું. પતિ સંજય અને ભરત ગઢવી બંને મિત્ર છે. મૃતક સંજયે આરોપીને તમે બહત્પ ફાટી ગયા છો તેમ કહ્યું હતું. જે શબ્દોથી આરોપી ભરત ગઢવી ઉશ્કેરાય જઇ નેફામાંથી છરી કાઢી સંજયના પડખામાં બે ઘા ઝીંકી દઇ હત્યા કરી નાખી હતી.
હત્યાના આ બનાવને લઇ ભકિતનગર પોલીસે હત્યારા ભરત દેથા(ગઢવી) ને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.આરોપી સામે અગાઉ શહેરના અલગ–અલગ પોલીસ સ્ટેશનમાં હત્યા,હત્યાનો પ્રયાસ, મારામારી, દા, જાહેરનામા ભગં સહિતના કુલ ૨૧ ગુના નોંધાઇ ચૂકયા છે.આરોપી એક વખત પાસા હેઠળ જેલની હવા પણ ખાઇ ચૂકયો છે.પોલીસે આરોપીને આજરોજ બપોરબાદ કોર્ટ હવાલે કર્યેા હતો. હત્યાના આ બનાવને લઇ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયા, એસ.ડી.ગીલવા, પીએસઆઇ એમ.એન. વસાવા, એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા તથા હેડ.કોન્સ. પ્રભાતભાઇ મૈયડ, હીરેનભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, પ્રવીણભાઇ સોનારા અને કોન્સ. ધવશાલભાઇ દવે કામગીરીમાં જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech