માવઠા–ભેજના કારણે ગરમીમાં રાહત મળી

  • April 27, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વલસાડ સુરત ભાવનગર તાપી સહિતના જિલ્લાઓમાં ગઈકાલે એકાએક માવઠું થવાથી ગરમીમાં રાહત મળી છે. ગુવાર સુધી સમગ્ર રાયના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે રહ્યું હતું પરંતુ શુક્રવારે તેમાં એકાએક ઘટાડો નોંધાયો છે અને રાજકોટ સુરેન્દ્રનગર અને અમરેલીને બાદ કરતાં સમગ્ર રાયમાં ૪૦ ડિગ્રી થી નીચે તાપમાન રહેવા પામ્યું છે. ગઈકાલે રાજકોટમાં ૪૦.૮ સુરેન્દ્રનગરમાં ૪૦.૨ અને અમરેલીમાં ૪૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર્રના અન્ય સેન્ટરોની વાત કરીએ તો ભાવનગરમાં ૩૭.૭ ભુજમાં ૩૮.૫ દ્રારકામાં ૩૦.૬ જામનગરમાં ૩૩.૬ કંડલામાં ૩૩.૮ નલિયામાં ૩૪ ઓખામાં ૩૪.૨ પોરબંદરમાં ૩૫.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું છે રાજકોટમાં ૭૮ ભુજમાં ૮૦ દ્રારકામાં ૮૪,જામનગરમાં ૮૨ કંડલામાં ૮૩ અને વેરાવળમાં ૮૨% ભેજ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજસ્થાન પર સાયકલોનિક સકર્યુલેશન છવાયું છે અને તેના કારણે રાયના અનેક સેન્ટરોમાં વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે ગરમીનું પ્રમાણ ઘટું છે. પરંતુ ભેજના પ્રમાણમાં વધારો થવાના કારણે બફારો વધી ગયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application