કરોડ ૬૦ લાખના કામનું કરાયું ખાતમુર્હુત
સુલાયામાં અંદાજિત ૪૫ હજારની વસ્તી છે. સલાયાની પ્રજાનો મુખ્ય પ્રાણ પ્રશ્ન પાણીનો હતો. જેમાં સલાયા ની પ્રજાને ૧૨ થી ૧૫ દિવસે પાણી વિતરણ થતુ જેમાં સિંહણથી માંઢા વોટર વર્કસ સુધીની જૂની નાની પાઇપ લાઈનના લીધે પાણીનો પુરવઠો સલાયા ધીમો અને ઓછો મળતો હતો.
જે અનુસંધાને ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તેમજ જામનગર દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ બાબતે પ્રજાના પ્રશ્નને ધ્યાને લઇ અને રાજ્ય સરકારની યોજનામાંથી આ કામગીરીને મંજૂરી અપાવી હતી. દ્વારકા જિલ્લાની આયોજન મંડળની બેઠકમાં દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવીએ પણ આ બાબતે તુરંત કામગીરી કરવા સૂચન કરેલ હતું. જેથી સલાયા નગર પાલિકા દ્વારા, અમૃત -૨ યોજના તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત કુલ ક કરોડ ૬૦ લાખના મંજૂર થયેલ કામને આજરોજ સલાયાના નગર પાલિકાના ભાજપના પૂર્વ સદસ્ય અને પત્રકાર ભરતભાઈ લાલ તેમજ સલાયા શહેર ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભૂવા અને નગર પાલિકાના પૂર્વ સદસ્ય ઈશા ભાઈ કારાના હસ્તે આં કામોનું ખાતમુર્હુત કરાયું હતું.
આ કામમાં સિંહણ થી માંાની ધાર સુધીની પાઇપ લાઈનનું કામ, સલાયામાં આવેલ પોલીસ સ્ટેશન પાસેનો રોડ,હનુમાન મંદિર પાસેનો રોડ, નગર ગેટ પાસે આવેલ રોડ, માઈલા વાસ પાસેના ચામુંડા મંદિર વારો રોડ વગેરે કુલ ૧૪ જગ્યાના રોડ કે જ્યા વરસાદી પાણી ભરાવાનાં પ્રશ્નો હતા તે માટે રોડને રિસ્ફેસિંગ કરી અને વ્યવસ્થિત કામ કરવામાં આવશે જેથી આવનારા સમયમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી નહિ થાય.
આમ સલાયાના લોકોનો મુખ્ય પીવાના પાણીનો પ્રશ્ન તેમજ વરસાદી પાણીના ભરાવવાના પ્રશ્નોનો આગામી સમયમાં નિરાકરણ થઈ જસે. આ કામોને તુરંત મંજૂર કરવા માટે સરકાર શ્રી અને મંત્રી મુળુભાઇ તેમજ સાંસદ પૂનમબેનનો સલાયાના પૂર્વ નગર પાલિકાના સદસ્ય અને પત્રકાર ભરતભાઈએ જાહેર આભાર વ્યકત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech