કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જીરાગઢ ગામના પશુપાલક શરી દેવાભાઈ ગમારાને ચેક અર્પણ કરાયો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતા પશુપાલકશ્રી દેવાભાઈ ગમારાના ઘેટા વર્ગના ૬૯ તેમજ બકરા વર્ગના ૧૭ મળીને કુલ ઘેટા બકરા વર્ગના ૮૬ પુખ્ત પશુઓનું તા.૨૧-૧-૨૦૨૪ના રોજ મૃત્યુ થયું હતું. પશુપાલક દ્વારા પશુ ચિકિત્સા અધિકારી જોડિયા સમક્ષ કાર્યવાહી કરવા અને સહાય ચૂકવવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
જેના અનુસંધાને મૃત પશુઓના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૮૬ પશુઓના મરણ જંગલી કૂતરાના બીકના લીધે ગભરામણથી થયેલ હોવાનું પ્રસ્થાપિત થયું હતું.
પશુપાલકને આ કપરા સમયમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ મૃત પશુદીઠ રુા.૧૬૫૦ લેખે કુલ રુા.૧,૪૧,૯૦૦ની સહાય ચૂકવવામાં આવી છે. જેનો ચેક રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર દ્વારા પશુપાલકને અર્પણ કરી મંત્રીએ સંવેદના વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સમૂહ નવકાર મંત્ર જાપ, વિશ્વ નવકાર દિવસની ઉજવણી
April 09, 2025 01:08 PMજામનગરની આ સોસાયટીના સ્થાનિકો પોતાની રક્ષા પોતે જ કરે છે, જુઓ વિશેષ અહેવાલ
April 09, 2025 12:44 PMદુબઈમાં કઈ મહિલાએ પહેરી 100 મિલિયન ડોલરની બ્લુ ડાયમંડ રિંગ? જોનારાઓ રહી ગયા દંગ
April 09, 2025 12:39 PMજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech