અનેક લોકોને કસરત અને કુસ્તીના દાવ શીખવ્યા હતા
વર્તમાન સમયમાં હવે જ્યારે લોકો યોગ અને કસરતનું મહત્વ સમજી રહ્યા છે, ત્યારે દાયકાઓ અગાઉ કસરત અને કુસ્તી કરવા ઉપર ભાર મૂકીને નિરોગી જીવન જીવવાના આગ્રહી એવા જયેષ્ઠારામ બાપુ (ગુરુજી)નું મંગળવારે તેમના જન્મદિવસ નિમિત્તે ગાર્ડન ગ્રુપ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
દાયકાઓ સુધી ખંભાળિયાના અનેક યુવાઓને કુસ્તીના દાવપેચ અને વિવિધ પ્રકારની કસરત શીખવતા શ્રી જયેષ્ઠારામ બાપુ (ગુરુજી) દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે પોતાનું સંપૂર્ણ જીવન લોકોની કસરત અને લોકો નિરોગી રહે તે માટે ખર્ચી નાખનારા શ્રી જયેષ્ઠારામ બાપુનો ગઈકાલે 84 મો જન્મદિવસ હોવાથી અહીંના ગાર્ડન ગ્રુપ દ્વારા તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે લોકો કાયમી રીતે કસરત કરી અને નિરોગી રહે તે અંગેની જરૂરી સૂચનાઓ પણ તેમણે આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેર અને જિલ્લામાં આજે ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી
March 31, 2025 11:50 AMદેશી લુકમાં આરાધ્યા બચ્ચનનું સૌન્દર્ય જોઈ ફેન્સ આકર્ષિત
March 31, 2025 11:47 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
March 31, 2025 11:44 AMડંકી રૂટથી યુએસમાં માનવ તસ્કરી કરતા મુખ્ય આરોપીની ધરપકડ
March 31, 2025 11:43 AMખંભાળિયામાં રિક્ષામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
March 31, 2025 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech