નવી ઉડાન: રાજકોટથી ૧૬મી સપ્ટે.થી શરૂ થશે હૈદરાબાદની ફલાઈટ

  • August 31, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટવાસીઓને વધુ નવી ઉડાન મળવા જઈ રહી છે. આગામી તારીખ ૧૬ સપ્ટેમ્બર થી રાજકોટ થી હૈદરાબાદ સુધીની હવાઈ સેવા શ થશે. રાજકોટ થી બપોરે ૨.૨૫ કલાકે હીરાસર એરપોર્ટથી ઉડાન ભરશે.
ઇન્ડિગોનું એરક્રાટ ૬૮૨૪ આગામી ૧૬ સપ્ટેમ્બર થી હૈદરાબાદ માટે ઉડાન ભરવા સજજ થશે. અગાઉ રાજકોટના જુના એરપોર્ટ ખાતે હૈદરાબાદની લાઈટ શ કરવામાં આવી હતી પરંતુ ટ્રાફિક ન થતા આ લાઈટ બધં કરી દેવાય હતી.
હવે ફરીથી હૈદરાબાદ માટે રાજકોટ વાસીઓએ માંગણી કરી હતી જેને સંદર્ભે નવા વિન્ટર શેડુલ માં હૈદરાબાદની લાઈટ ઉડાન ભરવા માટે ઈન્ડીગોએ તૈયારી દર્શાવી હતી. હવે સરળતાથી રાજકોટના પેસેન્જર્સ ને હૈદરાબાદ માટેની કનેકિટવિટી મળી જશે અમદાવાદ સુધી ધક્કો ખાવો નહીં પડે.
હાલમાં રાજકોટથી અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ગોવા,સુરત માટેની નિયમિત લાઈટ ઉડાન ભરે છે જેમાં હૈદરાબાદ નો સમાવેશ થયો છે. આગામી ટૂંક સમયમાં દિલ્હી માટેની સવારની લાઈટ પણ ઉડાન ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી દ્રારા એરક્રાટ ૩૨૧ માટે મંજૂરી અપાતા એર ઇન્ડિયા અને ઈન્ડીગો બંને એરલાઇન્સ દ્રારા આ મોટું એરક્રાટ રાજકોટ થી શ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application