ધોરણ ૧૦–૧૨ની પ્રથમ સત્રાંતની પરીક્ષા બોર્ડની પેટર્ન મુજબ લેવાશે: ૨ નવેમ્બરથી પરીક્ષાનો પ્રારંભ

  • September 28, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ ની સત્રાંત અને પ્રિલિમનરી પરીક્ષા બોર્ડની પેટર્ન મુજબ જ લેવામાં આવશે તેવું શિક્ષણ વિભાગ દ્રારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ આપી દેવાયા હોવાથી ડીઇઓ કચેરી દ્રારા અત્યારથી જ આ મુજબની તૈયારી શ કરી દેવામાં આવી છે.નવરાત્રી પછી ૨ નવેમ્બર થી રાજકોટ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ઉપરાંત અન્ય ધોરણોની પ્રથમ અને દ્રિતીય પરીક્ષા શ થવાની છે જેમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની સ્ટાઇલ મુજબ પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્રારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ મુજબનો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. પ્રથમ અને દ્રિતીય બંને પરીક્ષા બોર્ડની પદ્ધતિ મુજબ જ લેવાની છે જેમાં વિધાર્થીઓને આ પરીક્ષા માટે માનસિક રીતે સ કરવાના છે. પરીક્ષામાં ઉમેદવારે પરીક્ષા ખંડમાં મોબાઈલ અથવા સ્માર્ટ ઘડિયાળ કે કેમેરા વાળું કેલ્કયુલેટર કે અન્ય કોઈ ડિજિટલ મશીન લાવશે તો તે વર્ષની સમગ્ર પરીક્ષા નું પરિણામ રદ કરવા ઉપરાંત આગામી બે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તેમાં વિધાર્થીઓ સામે પોલીસ કેસ પણ કરવામાં આવશે.


બોર્ડ દ્રારા અપાયેલી સૂચના મુજબ દરેક શાળાઓએ નોટિસ બોર્ડ પર પરીક્ષામાં સામે કરાવતી સજા અને શિક્ષાના કોષ્ટ્રકને ફરજિયાત નોટિસ બોર્ડ પર લગાવવું પડશે ઉપરાંત સ્કૂલમાં પ્રાર્થના સમયે શિક્ષા કોષ્ટ્રકનો વાંચન કરવાનું રહેશે જેથી કરીને પરીક્ષાાર્થીઓને પરીક્ષા માટે ગંભીરતા રહે. દરેક શાળાઓએ પ્રથમ અને દ્રિતીય સત્રની શાળા કક્ષાની પરીક્ષામાં બોર્ડની પરીક્ષા કાર્ય પદ્ધતિ અપનાવવાની રહેશે.આ વખતે નવરાત્રી પછી બીજી નવેમ્બરથી પ્રથમ સત્રની પરીક્ષા શ થવાની છે તે પૂર્વે સરકારી અને ગ્રાંગીરી સ્કૂલોમાં લેવાનારી આ પરીક્ષા માટે વિધાર્થીઓને બોર્ડની પરીક્ષાની જેમ ફોટા સાથે હોલ ટિકિટ આપવામાં આવશે. એકંદરે શિક્ષણ વિભાગનું વિધાર્થીઓને પરીક્ષા માટેનો હાઉ દૂર કરવાનો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application