ગત ડિસેમ્બરથી શરૂ થયેલા ધનુર્માસ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ભાવિકોની મોટી સંખ્યામાં ભીડ રહેતી હોય, આ માસ દરમિયાન ચાર અલગ અલગ દિવસોએ ધનુર્માસની પરંપરા અનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ યોજાય છે. જે ક્રમ મુખ્યત્વે ગુરૂવાર તથા મંગળવારે કરવામાં આવે છે. આ વખતે 19 અને 24 મી ડિસેમ્બર 2024 તેમજ 7 તથા 9 જાન્યુઆરી 2025 ના રોજ જગતમંદિરમાં ધનુર્માસ અનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ નિર્ધારિત હોય, ધનુર્માસમાં ઠાકોરજીને સૂર્યોદય પહેલાં અભિષેકનું મહત્ત્વ હોવાથી આજે તા.9 ના રોજ ધનુર્માસ ક્રમનો ચતુર્થ અને અંતિમ દિવસ છે. જેથી ઠાકોરજીની મંગલા આરતી સવારે 5:30 વાગ્યે યોજાઈ હતી.મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો વહેલી સવારની મંગલા આરતીમાં ઉમટી પડ્યા હતા.અને ધનુર્માસના આખરી અવસરે અનેક ભક્તોએ મંગલા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
બાદમાં સૂર્યોદય પહેલા ઠાકોરજીને સ્નાનાદિ અભિષેક કરવામાં આવ્યું હતું.ધનુમાંસના ચાર દિવસોમાં જગતમંદિરમાં સવારે 5:30 થી 10:30 સુધીમાં સાત ભોગ તથા બે આરતીનો ક્રમ યોજાય છે. સવારે 9:45 વાગ્યે ઠાકોરજીને રાજભોગ અર્પણ કરાય છે અને 10:30 વાગ્યે અનોસર (મંદિર બંધ) થાય છે. સાંજનો ક્રમ નિત્યક્રમ અનુસાર યોજવામાં આવે છે.
આ સાથે ચાલતી શીત લહેરમાં ચાલતા ધનુર્માસમાં ભગવાન દ્વારકાધીશ મંદિરમાં પણ પૂજારી દ્વારા ધનુર્માસ કાતીલ ઠંડીના દિવસોમાં ઠાકોરજીની સેવાનો પ્રકાર, વસ્ત્ર પરિધાન, આભુષણો, શૃંગાર, ભોગ ઈત્યાદિ મૌસમને અનુરૂપ કરવામાં આવે છે અને ઋતુ અનુસાર ઠાકોરજીની સેવા કરવામાં આવે છે. આ ઉપરાંત તીવ્ર ઠંડી હોય ત્યારે જગતમંદિરના પૂજારીઓ દ્વારા ઠાકોરજીને સવારે મંગલા આરતી તેમજ અભિષેક પૂજન બાદ અને સાંજે સંધ્યા સમય બાદ ચાંદીની અંગીઠીમાં અગ્નિ પ્રજવલિત કરી, ઉષ્માર્પણનો ભાવ વ્યકત કરાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech