આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે જામનગરના મુખ્ય શિવાલયોમાં સિઘ્ધનાથ, નાગેશ્ર્વર, ભીડભંજન સહિતના શિવાલયોમાં ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો છે, સાથે સાથે ખંભાળીયાના રામનાથ, ખામનાથ, દ્વારકાના નાગેશ્ર્વર, બાદનપરના કન્કેશ્ર્વર તેમજ અન્ય શિવાલયોમાં સવારથી જ ભોલેનાથને રીઝવવા માટે લોકોની મોટી ભીડ જોવા મળી હતી, ઠેર ઠેર બીલીપત્ર અર્પણ, રુદ્રીપાઠ, લઘુરુદ્ર યજ્ઞ, મહાઆરતી, વિશિષ્ટ આરતી, દિપ માળા, દેવાધિદેવ મહાદેવની ઉપાસના સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના અન્ય શિવાલયો હજારેશ્ર્વર, નર્મદેશ્ર્વર, જંગલેશ્ર્વર, કુબેર ભંડારી, પ્રતાપેશ્ર્વર, રામેશ્ર્વર સહિતના શિવમંદિરોમાં દેવાધિદેવ મહાદેવનો નાદ સંભળાયો હતો, આજે કેટલાક મંદિરોમાં વિશિષ્ટ મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા, શિવભક્તો ભગવાન શિવનું તપ કરી રહ્યા છે. હાલારમાં જેટલા શિવમંદિરો છે એટલા ગુજરાતમાં કયાંય શિવ મંદિરો નથી અને ગુજરાતભરમાંથી દ્વારકાના નાગેશ્ર્વર અને જામનગરના શિવાલયોમાં દર્શન કરવા માટે શિવભકતો ઉમટી પડે છે. દર વખતે શ્રાવણ મહિનામાં હાલારના શિવ મંદિરોને અનેરો ઑપ આપવામાં આવે છે અને એક કહેવાત છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટલાં શિવ મંદિરો છે એટલાં શિવ મંદિરો અન્ય જિલ્લામાં નથી. ચાર ધામ પૈકીના દ્વારકામાં ૧ર જ્યોતિર્લિંગ પૈકી નાગેશ્ર્વર મહાદેવ જ્યોતિર્લિંગ આવેલું છે અને દરિયાકાંઠે ભડકેશ્ર્વર મહાદેવ પણ બિરાજમાન છે. ખંભાળિયામાં રામનાથ અને ખામનાથ, કાલાવડમાં કલ્યાણેશ્ર્વર, કુંભનાથ અને ઢીંગેશ્ર્વર, સોયલમાં સોયલેશ્ર્વર, બાદનપરમાં કનકેશ્ર્વર, ખીમરાણામાં ભવનાથ અને ખિમેશ્ર્વર, પડાણામાં પ્રગટેશ્ર્વર, લાલપુર નજીક ભોળેશ્ર્વર, ભાણવડ નજીક ઈન્દ્રેશ્ર્વર, કિલેશ્ર્વર અને બિલેશ્ર્વર, ભૂતનાથ, સુખનાથ જેવા મંદિરો આવેલા છે.
આ ઉપરાંત ૧૦૮ બિલીપત્ર અર્પણ, રુદ્રાભિષેક, કથા, લઘુરુદ્રી, મહાઆરતી, મંડળ, મંદિરને શણગાર સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર સોમવારે ભગવાન શિવનો અનેરો શણગાર કરવામાં આવશે. વિવિધ શણગારથી ભગવાનના અલૌકિક રુપના દર્શન થશે. જામનગર અને હાલારના કેટલાંક શિવ મંદિરોનો મહિમા પણ અલગ-અલગ છે. શિવની આરાધના કરવી એ ખૂબ જ મહત્વનું ગણાય છે. આ માસમાં કેટલાંક ઉપવાસ-એકટાણાં કરે છે, અમુક શિવભકતો આખો મહિનો માત્ર દૂધ પી ને ભગવાનની આરાધના કરે છે. કેટલાંક મંદિરોમાં અલગ-અલગ પ્રકારની વિવિધ આરતીઓથી ભગવાનના દર્શન પણ કરાવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech