ધિરાણ ભરી જવાની નોટીસો આવતા મામલો બહાર આવ્યો : પરપ્રાંતીય શખ્સ રફુચકકર થતા દોડધામ
ધ્રોલ તાલુકાની લતીપર બેન્કનો પરપ્રાંતીય મેનેજર અંદાજે દોઢેક કરોડનું ફુલેકુ ફેરવી ગયાની ચર્ચાઓ ઉઠતા ચકચાર મચી જવા પામી છે, બેન્ક તરફથી ખેડુતોને ધિરાણ ભરી જવાની નોટીસો આપવામાં આવતા દોડધામ મચી હતી, ખેડુતોએ રકમ ભરી દીધી હોવા છતા નોટીસો આવતા માતબર રકમ બેન્કકર્મીએ ઉચાપત કરી હોવાનું ચર્ચાઇ રહયું છે અને આ મામલે આગામી દિવસોમાં નવા જુની થવાના એંધાણ વર્તાઇ રહયા છે.
ધ્રોલ-ટંકારા વચ્ચે આવેલ લતીપર ખાતેની એક બેન્કમાં ખેડુતોએ લાખો પીયા વ્યાજ સહિત પરત ભરી દીધા છતાં બેન્ક તરફથી ધિરાણ ભરી જવા નોટીસ અપાતા ખળભળાટ મચી ગયો છે.
લતીપરના અગ્રણી મહેન્દ્રભાઇ આણદાણીએ જણાવ્યું છે કે બેન્કના મેનેજર કક્ષાના એક વ્યકિત જે ઉત્તર પ્રદેશના છે તેમણે જમા કરાવવાના બદલે પરિવારના ખાતાઓમાં જમા કરાવી દીધાની ચર્ચા છે. છેલ્લા ૨૬-૨૭ દિવસથી આ મેનેજરનો પતો નથી, બેન્કે પણ આવતા નથી, ગામમાં ખ્યાલ આવતા દોડધામ મચી ગઇ છે, અમને મળેલ માહિતી મુજબ બેન્ક દ્વારા આ સમગ્ર બાબતે ઓડીટ બેસાડી એન્ટ્રી તપાસવામાં આવી રહી છે.
લતીપરના મેનેજર કક્ષાના વ્યકિત દોઢ થી બે કરોડની ખેડુતોની રકમ પોતાના પરિવારના ખાતામાં ટ્રાન્સફર કરી દીધાનું ચર્ચાઇ રહયું છે. ખેડુતોએ ધીરાણ ભરી દીધુ છતાં ખાતામાં પીયા જમા ન થતા ભારે ચર્ચા જાગી છે, આ અંગે બેન્ક તરફથી સ્પષ્ટતા થાય તે જરી છે.
ઉત્તર પ્રદેશનો આ મેનેજર ધ્રોલ રહેતો હતો અને લતીપુર અપડાઉન કરતો હતો, જેનો છેલ્લા ૨૬-૨૬ દિવસથી અતો પતો નથી, લતીપર બેન્કનો મેનેજર ફુલેકુ ફેરવી રફુચકકર થઇ જતા ધ્રોલ પંથક અને લતીપર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઇ છે અને ખેડુતો દ્વારા આ મામલે દોડધામ મચી છે તેમજ ઉચ્ચકક્ષાએ કાર્યવાહી કરવાની તજવીજ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech