ઉદ્યોગનગર વિસ્તારમાં બિસ્માર રસ્તાના ટૂંક સમયમાં થશે નવીનીકરણ

  • March 29, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં અનેક રસ્તાઓ બિસ્માર છે જેના કારણે ઉદ્યોગકારોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે એટલું જ નહી પરંતુ કારખાનામાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. તેથી તેના નવીનીકરણની કામગીરી ટૂંક સમયમાં ધમધમશે.
 જી.આઇ.ડી.સી.ના અધિકારી નાયબ ઇજનેરની પોરબંદરની ‚બ‚ મુલાકાત કરતા એસ્ટેટ વિઝીટ દરમિયાન તેમને જણાવેલ છે કે હાલ પોરબંદર જી.આઇ.ડી.સી.ના રોડ ઘણા જ ડેમેજ  થયેલ છે અને પેચવર્ક કરવુ ખુબ જ‚રી છે અને આશાપુરા ચોકથી અમુક ભાગ રોડ સી.સી. કરવો પડે તેમ છે અને આ કામ કરવાથી ઉદ્યોગકારોને ઓછામાં ઓછો ખર્ચ ભોગવવો પડે તે રીતે મંજૂરી આપવા દરખાસ્ત કરેલ છે. તે અંગે અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવેલ છે અને ઓરીએન્ટની પાછળ આવેલ રોડ પણ ભૂતકાળમાં પોરબંદર જી.આઇ.ડી.સી. ઇન્ડ. વેલ્ફેર એસોસીએશન માંગણી મુજબ મંજુર થઇ ગયેલ છે અને તેનું કામકાજ પણ ટૂંક જ સમયમાં શ‚આત થઇ જશે અને માધવાણી કોલેજ પાસેથી  જે. જી.આઇ.ડી.સી.માં આવવા માટે રોડ છે તે અંગે પણ માપણી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે તેવું ધ્યાને આવેલ છે એટલે ટૂંક સમયમા જી.આઇ.ડી.સી.માં પ્રવેશતા તમામ રસ્તા સુંદર બની જશે. તેમ પોરબંદર જી.આઇ.ડી.સી. ઇન્ડ  વેલ્ફેર એસોસીએશનના પ્રમુખ જીણુભાઇ  દયાતર ચેરમેન પુંજાભાઇ ઓડેદરા અને સેક્રેટરી ધીરુભાઇ કકકડની યાદીમાં જણાવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application