સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી, જુનાગઢની ભકત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી, ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, કચ્છની શ્યામકૃષ્ણ વર્મા યુનિવર્સિટી સહિત રાયની ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં ચાલુ શૈક્ષણિક સત્રથી પોર્ટલ પર એડમિશન આપવાના નિર્ણયને કારણે શિક્ષણ કામગીરીને ભારે ગંભીર વિપરીત અસર પહોંચી છે.
સૌપ્રથમ પોર્ટલ પર પ્રવેશ આપવાનું શ કરાયા પછી તેમાં મોટાભાગની કોલેજોમાં વિધાર્થીઓની સંખ્યા ન થતાં અપેક્ષા મુજબ સરકારે આ પદ્ધતિમાં ફેરફાર કરી ઓફલાઈન એડમિશન આપવાની છૂટ આપી હતી. પરંતુ આમ છતાં હજુ સંખ્યાબધં કોલેજોમાં આંગળીના વેઢે ગણાય તેટલા વિધાર્થીઓએ પ્રવેશ લીધો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે એડમિશનની મુદતમાં વધારો કર્યેા છે પરંતુ હવે એડમિશન ઓફલાઈનના બદલે પોર્ટલ પર આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં આ સંદર્ભે ગોઠવાયેલી વ્યવસ્થા બાબતે રજીસ્ટ્રાર આર.જી.પરમારે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં આવેલા ભવનો, કેન્દ્રો, એફિલીએટેડ કોલેજના આચાર્યેા, અનુસ્નાતક સંસ્થાના વડાઓ વગેરેને તારીખ ૪ સપ્ટેમ્બર સુધી પોર્ટલ પર પ્રવેશ આપવા માટે જણાવ્યું છે.
ગુજરાતમાં અત્યારે વરસાદના વિધ્નને ધ્યાનમાં લઈને વિધાર્થીઓ ઓફલાઈન પ્રવેશ મેળવી શકતા નથી અને તેથી પોર્ટલ પર આ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ જો બંને વ્યવસ્થા સમાંતર ચાલુ રાખી હોત તો સાં હતું તેઓ અભિપ્રાય પણ શિક્ષણ જગતમાં વ્યકત થઇ રહ્યો છે.
પ્રવેશ મેળવવાની મુદતમાં વધારો કરાયો છે પરંતુ સૌથી મોટી સમસ્યા ટર્મ ગ્રાન્ટ કરવાને લગતી બની રહેશે. જે કોલેજોએ પોતાના વિધાર્થીઓને અગાઉ પ્રવેશ આપી દીધો છે અને જૂન માસથી રેગ્યુલર નવું શૈક્ષણિક સત્ર શ થઈ ગયું છે તેવી કોલેજોમાં બીજા વિધાર્થીઓ સપ્ટેમ્બર માસમાં એડમિશન લે તો તેના શૈક્ષણિક અભ્યાસના દિવસો પૂરા થતા નથી. આ બાબતે યુનિવર્સિટીએ એવી સૂચના આપી છે કે જે તે કોલેજે વિધાર્થીનું સત્ર વ્યવસ્થા મુજબનું શૈક્ષણિક કાર્ય પૂં કરવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech