વિંછીયાના બેલડા ગામે વાડીમાં લીમડાના ઝાડમાં ફાંસો ખાઈ લટકતી હાલતમાં મહિલાની લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડી જરી કાર્યવાહી કરી છે. મૃતકના પિતાએ જમાઈ ઉપર આક્ષેપ કર્યેા છે કે, દીકરી સાથે અવાર–નવાર મારકૂટ કરતા હોઈ અને બે દિવસ પહેલા જ દીકરીનો તેડી જવા માટે ફોન આવ્યો હતો અને અમે તેડવા માટે ગયા હતા ત્યારે સમાજના પાંચ સભ્યો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું. અને બીજા દિવસે બપોરે બનાવની જાણ અમને થઇ હતી.આથી જમાઈએ જ દીકરીને મારીને લટકાવી દીધી છે. આક્ષેપોના પગલે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.
પ્રા વિગત મુજબ બેલડા ગામે રહેતા કૈલાસબેન વિશાલભાઈ તલાવડીયા (ઉ.વ.૨૪) નામની પરિણીતાની લાશ ગત બપોરે પોતાની જ વાડીના લીંબડે ગળેફાંસો ખાઈ લટકતી હાલતમાં મળી આવતા બનાવની જાણ જસદણ પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતકનું માવતર ગઢડાના કેરાળા ગામે છે અને ચાર બહેન બે ભાઈમાં મોટી હતી. પાંચ વર્ષ પહેલા જ બેલડા ગામે રહેતા વિશાલ તલાવડીયા સાથે થયા હતા અને સંતાનમાં બે પુત્રો છે. બનાવને લઈને સાસરિયાએ પુત્રવધુએ આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું. જયારે કેરાળા ગામે રહેતા પિતા બીજલભાઈ ડેકાણીએ જમાઈ સામે દીકરીને મારી નાખ્યાનો આક્ષેપ કર્યેા છે. અવાર નવાર દીકરીને મારકૂટ કરતા હતા અને જુગારની ટેવ ધરાવતા હોવાથી તેના દાગીના પણ વેચી નાખ્યા હતા. બે દિવસ પહેલા જ દીકરીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મને અહીં થી તેડી જાવ આથી અમે બીજા દિવસે પાંચ માણસો સાથે ગયા હતા ત્યારે વાતચીત દરમિયાન સમાધાન થયું હતું. ગઈકાલે બપોરે પાછો ફોન કર્યેા હતો ત્યારે અમને એવું કીધું હતું કે, કૈલાસ વાડીમાં કામે ગઈ છે આવે એટલે વાત કરાવીશું. એ પછી આપઘાત કરી લીધો હોવાનો ફોન આવ્યો હતો. આક્ષેપોના પગલે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે. પોલીસે તપાસ યથાવત રાખી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech