બોરતળાવમાંથી યુવતિનો મૃતદેહ મળી આવ્યો

  • August 16, 2024 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના બોરતળાવમાં આજે વ્હેલી સવારે એક મહિલાનો  મૃતદેહ તરતો હોવાની ફાયર વિભાગને કરાતા ફાયર અને બોરતળાવ પોલીસનો કાફલો દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડી હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતક શહેરના રૂવાપરી રોડ પરના મોમીનવાડમાં રહેતી યુવતિનો હોવાનું ખુલતા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે વ્હેલી સવારે શહેરના બોરતળાવમાં એક મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા ફાયર તેમજ બોરતળાવનો પોલીસ કાફલો દોડી ગયો હતો. અને ફાયરના જવાનોએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરતા મૃતક શહેરના રૂવાપરી રોડ પરના મોમીનવાડમાં રહેતી અફસાનાબેન અબ્દુલ ગફાર મોમીન(ઉ. વ. 26)નો હોવાનું ખુલતા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં  મૃતક અફસાનાબેન ગઈકાલે પોતાના ઘરેથી કોઈને કહ્યા વીના નીકળી ગઈ હોવાનું તેમજ તેને કેટલાક સમયથી માનસિક બીમારી હોવાનું જાણવા મળ્યું હતું.

    




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application