પાળ ગામ પાસે નદીમાં તણાયેલા બાઈક ચાલકનો 24 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો

  • July 21, 2023 07:27 PM 

રાજકોટના લોધીકા તાલુકાના પાળ ગામ પાસે નદીમાં તણાયેલા બાઇક ચાલકનો મૃત્યદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમે છેલ્લા 24 કલાકથી શોધખોળ હાથ ધરી હતી. મૃત્યુદેહ જસવંતપુર પાસે નદીમાંથી મળી આવેલ છે. પુલ પર રેલીંગ ન હોવાના કારણે પરિવારે દિકરાને ગુમાવ્યો. મૂળ સુરેન્દ્રનગર ના ધાંગધ્રાના મોટા અંકેવાળીયા ગામના ચિરાગ વાઘેલાની લાશ 24 કલાક બાદ મળી આવી છે. ચિરાગ રાજકોટમાં રહીને માર્કટિંગનું કામ કરતો હતો. મધ્યમ વર્ગીય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. સ્ટેટ હાઇવેના અધિકારીઓની બેદરકારીને કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application